કોરોના બાદ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસો હવે ધીમે ધીમે ઘટી રહ્યાં છે. અમદાવાદમાં ઋતુગત બીમારીના કેસોમાં નજીવો સુધારો થયો છે. છેલ્લા 18 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 3 હજાર 112 કેસ નોંધાયા છે. આ પહેલા અમદાવાદમાં નવેમ્બરમાં ડેન્ગ્યુના 139 કેસ નોંધાયા હતાં. ત્યારે હવે અમદાવાદમાં નવેમ્બરમાં ચિકનગુનિયાના 113 કેસ મેલેરિયાના 16 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલમાં કોવિડના 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
નવેમ્બર મહિનામાં નોધાયેલ કેસો જોઈએ તો..
સોલા સિવિલ
અસારવા સિવિલ
કુલ
ડેન્ગ્યુ
71
132
203
મેલેરિયા
25
15
40
ચિકનગુનિયા
177
104
281
હોસ્પિટલની કેસ બારી દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદ શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે . શહેરની સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસના દર્દીઓમાં વધારો થયો છે.બદલાતા જતા વાતાવરણ વચ્ચે કોરોનાના કેસો તો વધી રહ્યા છે તો બીજી તરફ સરકારી હોસ્પીટલમાં ઋતુગત બીમારીએ માથું ઊંચક્યું છે.જેના સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલની કેસ બારી દર્દીઓ થી ઉભરાઈ છે. છેલ્લા 18 દિવસમાં બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શન ના કેસ વધારે પ્રમાણમાં સામે આવ્યા છે.
આજે કેટલા કોરોના કેસ રાજ્યમાં નોંધાયા
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાના વધુ નવા 36 કેસ નોંધાયા છે. જ્યારે 44 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. રાજ્યનો રિક્વરી રેટ પણ 98.74 ટકા પર યથાવત રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 184ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે... જ્યારે મૃત્યુઆંક 10 હજાર 91 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 770 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 323 એક્ટિવ કેસ છે.