ગાંધીનગરના ચારડામાં કેજરીવાલાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન વિપુલ ચૌધરીનું આપમાં જોડવવાની અને વિસનગર બેઠક પર લડવાની જાહેરાત કરવામાં આવશે; સૂત્ર
વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી લડશે ચૂંટણી:સૂત્ર
વિપુલ ચૌધરી આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે:સૂત્ર
વિપુલ ચૌધરી અત્યારે જેલમાં છે બંધ
ગુજરાત વિધાનસભાની બ્યૂગલ વાગી ચૂંક્યા છે. અને રાજકીય પક્ષોની પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્રણય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહી છે. પરંતુ જેમ જેમ પક્ષોમાં ઉમેદવારોની નામની જાહેરાત થાય છે તેમ તેમ નેતાઓની પક્ષપલટાઓ શરૂ થયા છે. ત્રણય પક્ષોના નેતાઓની અદલા-બદલીનો ફરી દોર શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીને સૂત્રો દ્વારા મહત્વની માહિતી પાપ્ત થઈ રહી છે કે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે અને વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીનગરના ચારડામાં કેજરીવાલાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન વિપુલ ચૌધરીનું આપમાં જોડવવાની અને વિસનગર બેઠક પર લડવાની જાહેરાત કરવામાં આવશે.
વિપુલ ચૌધરી AAPમાં જોડાશે!
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી AAPમાં જોડાઇ તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અર્બુદા સેનાને હવે રાજકીય રંગ લાગી શકે છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે અર્બુદા સેનાના જોડાઈ શકે તેવી પ્રબળ શકયતાઑ સેવાઇ રહી છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેના આપ સાથે જોડાશે.આમ ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં AAP મોટો ખેલ પાડે તેવી શક્યતા રહેલી છે.
અગાઉ અર્બુદા સેનાના મહામંત્રીએ કરી હતી જાહેરાત
વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે, તેવી અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, AAPના ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે, પણ વિપુલ ચૌધરીની ઉમેદવારીની જાહેરાત AAPએ કરી નથી
20 બેઠકો અને 7 લાખ મતદારો પર પ્રભુત્વ ધરાવે છે વિપુલ ચૌધરી
આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 20 બેઠકો પર ચૌધરી સમાજનો પ્રભુત્વ છે. જ્યાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.
800 કરોડના કૌભાંડનો આરોપ
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.