રાષ્ટ્રપતિથી લઇને પ્રધાનમંત્રી તથા અન્ય નેતાઓની સુરક્ષામાં પોલીસ અથવા સુરક્ષાદળ તૈનાત હોય છે એ બાબત તો સમજી શકાય છે પરંતુ કોઇ વૃક્ષ માટે 24 કલાક સુરક્ષા આપવામાં આવી હોય તે વાત જરા અજીબ લાગે. પરંતુ આ હકીકત છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરના પહાડ પર એક એવું વૃક્ષ છે જેને VIP નેતાની સુરક્ષા આપવામાં આવી છે.
એક વૃક્ષની સુરક્ષામાં ગોઠવાયા છે 4-5 પોલીસ જવાન
સાચવવા માટે કરવામાં આવે છે 12-15 લાખનો ખર્ચ
531 વર્ષ પહેલા બુદ્ધે અહીં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
આ વૃક્ષની સુરક્ષામાં પોલીસના 4-5 જવાન તૈનાત હોય છે જે 24 કલાક તેની સુરક્ષા કરે છે. આ સિવાય તેના સિંચન માટે નગરપાલિકા દ્વારા અલગથી એક ટેન્કર પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે જ કૃષિ વિભાગના અધિકારીઓ પણ ઝાડની નિયમિત તપાસ કરતા રહે છે. આ વૃક્ષનો નિભાવ ખર્ચ 12-15 લાખ કરવામાં આવે છે.
531 વર્ષ પહેલા બુદ્ધે અહીં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું
ખરેખર, તે એક પીપળનું ઝાડ છે, જેને બોધી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. 2012 માં શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આ ઝાડ રોપ્યું હતું. આપને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધે ઇસ પૂર્વે 531 વર્ષ પહેલાં બોધીના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બૌદ્ધ ધર્મમાં આ ઝાડનું એક વિશેષ મહત્વ છે.
એવું માનવામાં આવે છે કે પૂર્વે ત્રીજી સદીમાં, સમ્રાટ અશોકે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌધ્ધ ધર્મના પ્રચાર માટે બોધી ઝાડની એક શાખા શ્રીલંકા મોકલ્યા હતા. તેમણે શ્રીલંકાના અનુરાધાપુરામાં તે બોધીનું વૃક્ષ રોપ્યું હતું, જે આજે પણ અસ્તિત્વમાં છે.
બોધી વૃક્ષ બિહારમાં આવેલું છે
ભગવાન બોદ્ધે બોધિના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે ખરેખર બિહારના ગયા જિલ્લામાં છે. આ વૃક્ષને ઘણીવાર નાશ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક ચમત્કાર હતો કે દર વખતે એક નવું વૃક્ષ ઉગી નીકળે છે. જો કે, વર્ષ 1876 માં, કુદરતી આફતને કારણે ઝાડ પણ નાશ પામ્યું હતો, ત્યારબાદ 1880 માં, બ્રિટીશ અધિકારી લોર્ડ કનીનહામને શ્રીલંકાના અનુરાધાપુરમથી બોધિવૃક્ષની શાખા મળી અને તેને બોધગયામાં પુન:સ્થાપિત કરી. ત્યારથી, તે વૃક્ષ હજી ત્યાં હયાત છે.