દેશમાં કોરોના વાયરસ વેક્સિનને લઇને સરકારે ત્રણ મોટી કંપનીઓને ઓર્ડર આપ્યો છે. જો કે, હજી સુધી દેશમાં વેક્સિન આવી નથી. પરંતુ તેને લઇને વીઆઇપી લોકો વચ્ચે ધક્કા-મુક્કી શરૂ થઈ ચૂકી છે. આ જોતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા માટે કોઇપણ રાજનેતા અથવા પ્રભાવશાળી વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.
કોરોનાની રસીને લઇને તૈયારીઓ પુરજોશમાં
કેટલાક રાજકારણીઓ વેક્સિન મુદ્દે અધિકારીઓ સાથેના સંપર્કમાં
મહારાષ્ટ્રના અધિકારીએ કર્યો ઘટસ્ફોટ
સ્વાસ્થ્ય મંત્રીની આ ટિપ્પણી કેટલાક અમલદારો દ્વારા કેટલાક પ્રભાવશાળી રાજકારણીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના વેક્સિનના પ્રથમ પ્રાપ્તકર્તાઓમાં શામેલ થવા અંગે બનાવવામાં આવી રહેલા દબાણ અંગે મળેલી ફરિયાદોને પગલે કરવામાં આવી છે.
સરકાર ફ્રન્ટલાઈન કર્મચારીઓની યાદી કરી રહી છે તૈયાર
મંત્રી રાજેશ ટોપે કહ્યું કે, જોકે મને આવી કોઈ ફરિયાદ મળી નથી. મેં તમામ જિલ્લા અધિકારીઓને સંદેશ મોકલ્યો છે કે તેઓને આવી અરજી મળે તો સીધા મારી પાસે આવે. તેમણે કહ્યું, સરકાર ફ્રન્ટલાઈન કર્મચારીઓની સૂચિ તૈયાર કરી રહી છે અને માત્ર તેમને પ્રથમ ડોઝ આપવામાં આવશે. આ સૂચિ આવતા અઠવાડિયા સુધીમાં તૈયાર થવી જોઈએ.
કેટલાક રાજકારણીઓ વેક્સિન મુદ્દે અધિકારીઓ સાથેના સંપર્કમાં
આપને જણાવી દઇએ કે, પુણેમાં એક પીઢ અધિકારીએ કહ્યું હતું કે, કેટલાક રાજકારણીઓ નિમયિત રીતે વેક્સિનના ટેસ્ટિંગના અપડે્ટસને લઇને તેમના સંપર્કમાં છે. પરંતુ અત્યાર સુધીમાં કોઇપણ વ્યક્તિ સ્વેચ્છાએ ઉમેદવાર બનવાની વાત કરી નથી.
આપને જણાવી દઇએ કે, ડ્યુક યુનિવર્સિટીના 'લોંચ અને સ્કેલ સ્પીડોમીટર' ના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ભારતે ત્રણ વૈશ્વિક વેક્સિન ઉમેદવારો સાથે સોદા કર્યા છે. ભારતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના 500 મિલિયન (50 કરોડ), અમેરિકન કંપની નોવાવૈક્સ ઇન્કના એક અબજ (એક અરબ) અને રશિયાની ગમાલય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલી સ્પુટનિક-વી રસીના 100 મિલિયન (100 મિલિયન) ડોઝનો ઓર્ડર આપ્યો છે.