અમદાવાદઃ શહેરના શાહીબાગના ગીરધરનગર સરકારી ક્વાટર્સ પાસે હિંસક બબાલ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બબાલ સર્જાઇ હતી. આ બબાલમાં હિંસક હથિયાર વડે હુમલો કરાયો હતો. જૂની અદાવતનો બદલો લેવા કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો કરાયો હતો. છરી વડે હુમલો કરાતા બે શખ્સોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજા પહોંચતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન બન્ને શખ્સોના મોત નિપજ્યાં છે.
મહત્વનું છે કે આ હિંસક અથડામણ જૂની અદાવતનો બદલો લેવા માટે થઇ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ત્યાર બની જ્યારે કાકા-ભત્રીજો ગણપતિ વિસર્જનમાં જઇ રહ્યા હતા. ત્યારે જૂની અદાવતનો બદલો લેવા કાકા-ભત્રીજા પર છરી વડે હુમલો કરી બન્નેના ઢીમ ઢાળી દીધા. આ ઘટનાના પગલે શાહીબાગ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.