બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 PM, 17 March 2025
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવાના મામલાએ હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. નાગપુરના મહાલ એરિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર હટાવવા માટે આ સ્થળે પ્રદર્શન કર્યું હતું. ઔરંગઝેબની પ્રતીકાત્મક પ્રતિમા બાળ મૂકી હતી જે પછી સાંજે શિવાજી ચોક પાસે ચિટનીસ પાર્ક વિસ્તારમાં પથ્થરમારો થયો અને કેટલાક વાહનો સળગાવી મૂકાયા હતા. મુસ્લિમ યુવાનો શિવાજી ચોક પાસે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. બપોરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલા પ્રદર્શનથી તેઓ ગુસ્સે હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં જ વિસ્તારના હિન્દુ જૂથના યુવાનોએ પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. આ પછી પોલીસને બોલાવવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૂત્રોચ્ચાર કરતા બે જૂથોને અલગ કર્યા. બધાને શિવાજી ચોકથી ચિટનીસ પાર્ક તરફ પાછા હાંકી કાઢવામાં આવ્યા.
ADVERTISEMENT
Violence erupts in Nagpur’s Mahal area. Mobs torch govt vehicles. Stone pelting injures policemen. Just a few km from RSS HQ.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 17, 2025
~ Such incidents are no coincidence. Strict action is a must. Law & order cannot be held hostage to MOB rule 😳 pic.twitter.com/3GvK8Mt841
પ્રતિકાત્મક કબર સાથે ધાર્મિક સળગાવાનો આરોપ
ADVERTISEMENT
પ્રતિકાત્મક કબર સળગાવા દરમિયાન એક ચાદર માટે પણ બન્ને પક્ષ વચ્ચે વાંધો પડ્યો. મુસ્લિમ સમુદાયે એવું કહ્યું કે ચાદર પર ધાર્મિક વસ્તુઓ લખેલી હતી, જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ કારણે, નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજીની પ્રતિમા સામે મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.
औरंगजेब की नाजायज औलादों ने नागपुर में की आगजनी। सैकड़ों वाहन में आग लगाई। पुलिस स्टेशन पर भी किया हमला। 25 पुलिस कर्मी हुए घायल।
— राजू वाल्मीकि (@raju_botana) March 17, 2025
सोचो अभी 15% है, अगर 30% हुए तो क्या होगा ?
#Nagpur#banwaqfboard pic.twitter.com/Qq0NOgcV1f
પોલીસ પર પથ્થરમારો
ચિટનીસ પાર્કની પેલે પાર ભાલદારપુરા વિસ્તારમાંથી પોલીસ પર મોટી સંખ્યામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. પોલીસ તરફ મોટા પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાથી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે.
સીએમ ફડણવીસે શાંતિની અપીલ કરી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને આ પરિસ્થિતિમાં વહીવટને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે સતત પોલીસ વહીવટીતંત્રના સંપર્કમાં છીએ અને નાગરિકોએ તેમને સહયોગ આપવો જોઈએ. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે અને એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બને છે. આ નાગપુરની કાયમી પરંપરા રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શાંતિની અપીલ કરી હતી.
Tension and clashes erupted in Nagpur after rumors spread about the burning of the Kalma or Quranic verses during a protest by Bajrang Dal and Vishva Hindu Parishad against the tomb of Aurangzeb Alamgir. The situation is now under police control. Action should be taken against… pic.twitter.com/z6NgSatTmh
— Samiullah Khan (@_SamiullahKhan) March 17, 2025
શું છે વિવાદ
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોએ સોમવારે રાજ્ય સરકારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં છત્રપતિ સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબરને હટાવાની માગ કરાઈ હતી. આ સંગઠનોએ માંગણી પૂર્ણ ન થાય તો 'કારસેવા' અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. મરાઠા રાજાના વંશજ ભાજપના સતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ પણ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.