અંસાર ગજવા-તુલ-હિંદ પ્રમુખ જાકિર મૂસાના મોતના વિરોધમાં શનિવારે ઘાટી બંધ રહ્યું. ત્યારે આજરોજ પણ હિંસા જોવા મલી હતી. શ્રીનગરના ડાઉનટાઉનના રૈનાવારી, છાનપોરા, નટિપોરા, પુલવામાં, સોપોર તથાં અનંતનાગમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું.
સુરક્ષાદળો પર સ્થાનિક યુવકોએ માટાપાયે પત્થરમારો કર્યો. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. તો આ સાથે જ પૈલેટ ગનનો ઉપયોગ કરવાની પણ ફરજ પડી હતી. ઘાટીમાં થયેલ આ હિંસાની ઘટનાને પગલે આશરે એક ડઝન લોકો ઘાયલ થયાં હોવાના પણ સમાચારો પ્રાપ્ત થયાં છે. આ બંધને જોઇને સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં સેનાને ગોઠવવામાં આવી છે.
જો હિંસાની આશંકાના પગલે સમગ્ર ઘાટીમાં શૈક્ષણિક કાર્ય બંધ તેમજ રેલ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં મોબાઇ ઇન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે સેનાની કાર્યવાહીમાં ઘાટીમાં મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકીર મુસા ઠાર મરાયો હતો.