સુરતમાં ગણપતિની મૂર્તિ લઈને આવી રહેલાં લોકો પર અચાનક વીજ તાર પડતા ચારેકોર અરેરાટી થઇ ગઇ છે. જ્યારે વીજ તાર પડતા એક વ્યક્તિનુ મોત થયુ છે. વીજ તાર પડતા જ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ છે.
આ ઉપરાંત વીજ કરંટથી સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોડાદરાના આસ્તિકનગરની આ ઘટના છે. ત્યારે વિઘ્નહર્તાને ઘરે લઈ આવી રહેલા લોકો પર વિઘ્ન આવી પડયું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.