હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ, ટોળાઓ સામસામે આવી જતા પોલીસે હાથધરી કાર્યવાહી
સાબરકાંઠામાં ફરી ભડકી હિંસા
હિંમતનગરના વણઝારાવાસમાં હિંસા
પેટ્રોલ ભરેલા બાટલા ફેંકાયા
ગઇકાલે(10-4-2022) હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. પથ્થરમારા ઉપરાંત તીક્ષણ હથિયરનો પણ ઉપયોગ થયો હતો. પથ્થરમારા વચ્ચે તીર કામઠાંનો ઉપયોગ થયો હતો. જે બાદ પોલીસે અને RAFની ટુકડીઓએ સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી પણ ફરી રાતના અંધારાની આડમાં સાબરકાંઠામાં હિંસા ભડકી છે.
હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ (સોમવાર રાત્રે 11:30ની સ્થિતિ મુજબ)
સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હોવાની માહિતી મળી રહી છે. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા છે. પોલીસ જે ઘટના સ્થળે હતી પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા છે. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા છે જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો છે. વિસ્તારમાં આવેલી સાંકળી ગલીઓને કારણે પણ સ્થિતિ પર કાબુ મેળવવામાં સમય લાગી રહ્યો છે.
હસનનગર વિસ્તાર અને વણઝારાવાસના લોકોને પોલીસ સતત શાંતિ જાળવવા અપીલ કરી રહી છે. અફવાઓમાં ધ્યાન ન આપવા અને ઘરમાં જ રહેવા હાલમાં પોલીસ દ્વારા સતત અપીલો કરવામા આવી રહી છે.
હિંમતનગરમાં ગઇકાલે શું થયું હતું?
હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં થયો હતો પથ્થરમારો
શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે થયો હતો પથ્થરમારો
SP સહિત 10 પોલીસકર્મીઓને પથ્થરમારામાં પહોંચી હતી ઇજા
તોફાની તત્વોને કાબૂમાં લેવા ટીયરગેસના 5 સેલ છોડાયા હતા
હિંમતનગરમાં પથ્થરમારાની ઘટનાને લઇ કલમ 144 લાગૂ
5 વધુ વ્યક્તિઓના એકઠા થવા પર મુકાયો પ્રતિબંધ
13 એપ્રિલ સુધી સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ
છાપરીયા, રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી વિસ્તારમાં પ્રતિબંધ
ભગવતી પેટ્રોલપંપથી ટાવર ચોક સુધી કલમ 144 લાગૂ
શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અન્ય જિલ્લાઓની પોલીસની ટૂકડીઓ પણ તૈનાત કરાઈ
15થી વધુ અસામાજિક તત્વો અને તોફાનીઓની ધરપકડ
CRPF અને RAFની કંપની તૈનાત
સાબરકાંઠાના હિંમતનગરમાં CRPFની ટીમ અને RAFની 2 કંપની તૈનાત કરી દેવાય છે. શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. હાલ શહેરના છાપરિયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પેટ્રોલિંગ કરશે. અતિસંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો: DGP આશિષ ભાટીયા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે બેઠક યોજી હતી. બેઠક બાદ DGP આશિષ ભાટીયાએ કહ્યું કે, હિંમતનગર અને ખંભાતની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાઇ છે. બનાવ બાબતે સ્થાનિક અધિકારીઓ જોડાયા હતા. હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંમતનગરમાં IG કક્ષાના 2 અને SP કક્ષાના 4 અધિકારી છે. RAFની બે કંપની હિંમતનગરમાં તૈનાત કરાઇ છે. ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરાયા છે. ખંભાતમાં પણ DIG કક્ષાના અધિકારી તૈનાત કરાયા છે. ખંભાતમાં એક વ્યક્તિના મોત મામલે મર્ડરનો ગુનો નોંધાશે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ નજર રાખી રહી છે.