ખરેખર એ વાત હવે સમજવા જેવી છે કે તમાચા પર રાજકારણ થઈ રહ્યુ છે કે રાજકારણ પર તમાચો વાગી રહ્યો છે.. ભારત એક એવો દેશ છે કે જેના નેતાઓનો રાજકીય ઈતિહાસ તપાસીએ તો તંદુરસ્ત લોકશાહીનો રહ્યો છે કે જેમાં વિરોધની પણ એક ચોકક્સ પરિભાષા છે અને મર્યાદા છે.. ભારત એ દેશ છે કે જયાં પંડિત નહેરુ પોતાનુ ભાષણ વૈચારિક વિરોધી એવા રામમનોહર લોહિયા પાસે ચેક કરાવે છે.. આ એ દેશ છે કે જયાં પૂર્વ પ્રધાનમંત્રી નરસિંમ્હા રાવ યુએનમાં દેશના પ્રતિનિધિ તરીકે અટલજીને મોકલે છે એટલુ જ નહીં પરંતુ પોખરણ પરીક્ષણ પહેલા તૈયાર થયેલી ડિઝાઈનની ચિઠ્ઠી પણ આપતા જાય છે.. આવો ભવ્ય રાજકીય ઈતિહાસ ધરાવનાર ભારતનું રાજકારણ થપ્પડકાંડ સુધી પહોંચી જાય તે કેટલુ શરમજનક કહેવાય તે કદાચ શબ્દોમાં કહેવાની જરૂર નથી.. તો આ જ વિષય પર છે આજનુ મહામંથન લોકશાહીમાં હિંસા શોભે ?