બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાનાં દિવસથી શરૂ થયેલી હિંસા બંધ થવાનું નામ નથી લેતી. ઇસ્કોન મંદિર પર હુમલો થયા બાદ હવે હિન્દુઑના 20 ઘરો સળગાવી દેવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસાના કેસ વધી રહ્યા છે. પૂર્વ ભારતમાં હિન્દુઓના મુખ્ય તહેવાર ગણાતા દુર્ગા પૂજા પર એટલે કે 13 ઓક્ટોબરે શરૂ થયેલ હિંસા હજુ બંધ થવાનું નામ જ નથી લેતી અને રોજ નાના મોટા છમકલાઓ ચાલુ જ છે.
બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા પૂજાના પંડાલોમાં હુમલા બાદ રવિવારે રંગપુરનાં ઉપજીલ્લા એવા પીરગંજ ખાતે હિન્દુઑ ના ઘરોમાં આગ લગાવવાનો મામલો સામે આવ્યો હતો.
બાંગ્લાદેશના એક મીડિયા હાઉસ દ્વારા કવર કરવામાં આવેલ ન્યૂઝ મુજબ આ ઘટના પીરગંજના એક ગામ રામનાથપુર યુનિયનમાં માઝીપારામાં જેલપોટી માં બની હતી. રિપોર્ટ્સ અનુસાર કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુઑના 20 જેટલા ઘરોને સળગાવી દીધા હતા. જો કે સ્થાનીય સંઘ પરિષદના અધ્યક્ષના જણાવ્યા અનુસાર 65 ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી.
સોશ્યલ મીડિયા પર ભડકી હિંસા
પોલીસના જણાવ્યા અનુસાર મામલો સોશ્યલ મીડિયા સાથે જોડાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું. એક હિન્દુ શખ્સે ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ રાખી હોવાથી તણાવ ઊભો થયો હતો.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં આજકાલ આ પ્રકારની ઘટનાઑ દિવસે દિવસે વધી રહી છે.
અગાઉ નોઆખલીમાં આવેલા ISKCON ના મંદિરમાં થયેલ હુમલામાં તેના એક સદસ્યનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ વ્યક્તિનું નામ પાર્થ દાસ હોવાની પ્રથમિક માહિતી મળી હતી. તેનું શરીર તળાવ નજીક મળી આવ્યું હતું અને 200 કરતાં વધારે માણસોના હિંસક ટોળાં દ્વારા તેની ઘાતકી હત્યા થઈ હોવાના સમાચાર મળ્યા હતા.
It is with great grief that we share the news of a ISKCON member, Partha Das, who was brutally killed yesterday by a mob of over 200 people. His body was found in a pond next to the temple.
We call on the Govt of Bangladesh for immediate action in this regard. https://t.co/BLwqGsN36h
આશરે 200 કરતાં વધારે માણસોના ટોળાંએ ઇસ્કોન મંદિર પર હુમલો કરતાં હિંસામાં એક માણસનું મૃત્યુ થયું હતું. આ માહિતી ઇસ્કોનના ટ્વિટર હેન્ડલે પોતે જ આપી હતી અને સાથે તેમણે ફોટોઝ પણ શેર કર્યા હતા.
જવાબદારો છોડવામાં નહી આવે: શેખ હસિના
ઉલ્લેખનીય છે કે દુર્ગા પૂજા વખતે આ હુમલો થવાને કારણે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ પણ આ ઘટનાને શર્મશાર ગણાવી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેનો છોડવામાં નગી આવે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે આરોપીઓ ગમે તે ધર્મના હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરરવામાં આવશે. ત્યારે હવે ફરી આ પ્રકારની ઘટના બનતા આગામી દિવસોમાં વડાપ્રધાન કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
Bangladesh: 3 killed, 60 injured in communal violence during Durga Puja celebrations
દુર્ગાપૂજામાં થઈ હિંસા, 3નાં મોત
હિન્દુઓમાં નવરાત્રીએ એટલે જગતજનનીની આરાધનાનો તહેવાર, માઈભક્તો માટેના સૌથી મોટા તહેવારનું પૂર્વ ભારતમા ખૂબ મહત્વ છે. બંગાળી લોકો દુર્ગા પૂજા કરીને આ તહેવારની ઉજવણી કરે છે ત્યારે નવરાત્રીમાં ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી હતી. બાંગ્લાદેશ પોલીસ અનુસાર દુર્ગા પૂજા દરમિયાન ચાંદપૂર જિલ્લામાં હિન્દુ મંદિર પર ભીડ તૂટી પડી અને હુમલાઓ કર્યા. જે બાદ હિંસામાં ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા હતા.