યાત્રાધામ પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મંદિરની અંદર મશીન મુકવામાં આવ્યું છે છતાં ભક્તો મંદિરના માર્ગો પર જ શ્રીફળો વધેરી રહ્યા છે.
પાવાગઢમાં ભક્તોએ વધેર્યા શ્રીફળ
શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન
મોટા ભાગના ભક્તો શ્રીફળના નિર્ણયથી અજાણ
શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નીજ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પાવાગઢ મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં શ્રીફળના કુચા તેમજ તેને લઈને ગંદકી થતી હોવાને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. સાથે જ પાવાગઢ માંચી ખાતે શ્રીફળ ફોડવા માટેનું મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મૂકવામાં આવ્યું છે.
પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો
તેમ છતાં આજે મોટા ભાગના ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરી રહ્યા છે. પાવાગઢ મંદિરના પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો જોવા મળી રહ્યો છે. એક પણ શ્રદ્ધાળુએ માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેર્યું નથી. બહારથી આવતા મોટા ભાગના ભક્તો શ્રીફળના નિર્ણયથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે.
શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન
આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે જ પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
માર્ગો પર વધેરી રહ્યા છે શ્રીફળ
ભક્તો માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેરવાને બદલે મંદિરના માર્ગો પર જ શ્રીફળ વધેરી રહ્યા છે. પાવાગઢ મંદિર પર ચાલતા જવાના માર્ગના પ્રવેશદ્વારે જ શ્રીફળોનો ખડકલો જોવા મળી રહ્યો છે.