ગુજરાતમાં અનેક જગ્યાએ ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થયુ છે. વિસર્જન કુંડ છતાં સાબરમતી નદીમાં લોકો ગણપતિ વિસર્જન કરી રહ્યા છે.
છતાં વિસર્જનને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. POP બનેલી મૂર્તિઓનું નદીમાં લોકો વિસર્જન કરી રહ્યા છે. POP બનેલી મૂર્તિઓનું નદીમાં વિસર્જન થતાં પ્રદુષણ વધી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે AMCએ 55 લાખના ખર્ચે વિસર્જન કુંડ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગણેશ વિસર્જને લઈને શહેર પોલીસ અને મ્યુનિસિપલ વિભાગે એક્શન પ્લાન ઘડ્યો હતો. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં આ વખતે શહેરીજનો ગણેશ વિસર્જન માટે સાબરમતી નદીનો ઉપયોગ કરી શકશે નહીં. તેવુ જણાવવામાં આવ્યું હતું.
તમને જણાવીયે કે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પર લગભગ નાંના મોટા થઈને કુલ 32 જેટલા કુંડ બનાવ્યા છે.