કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં લૉકડાઉન (Lockdown)નું કડક રીતે પાલન ન થવા પર ગૃહ મંત્રાલયે નારાજગી દર્શાવી છે. નેતાઓના હાથો રાશન વહેંચવા અને પોલીસની મંજૂરીથી ધાર્મિક કાર્યો પર સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં કહ્યું છે કે ડિઝાસ્ટર મેનેટમેન્ટના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી થઇ શકે છે.
પશ્ચિમ બંગાળમાં લૉકડાઉનનું કડક રીતે પાલન ન થવા પર ગૃહ મંત્રાલયે નારાજગી દર્શાવી
ગૃહ મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે ડિઝાસ્ટર મેનેટમેન્ટના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી થઇ શકે છે
મંત્રાલયે કહ્યું કે રાજ્યમાં બીન-જરૂરી વસ્તુઓની દુકાનોને ખોલવા દેવામાં આવી હતી અને પોલીસે ધાર્મિક કાર્યક્રમોની પણ મંજૂરી આપી. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીને મોકલેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું કે શાકભાજી, માછલી અને માંસ બજારો પર કોઇ નિયંત્રણ નથી.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા એજન્સીઓને મળેલી રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળમાં લૉકડાઉનમાં ક્રમિક છૂટ નોંધવામં આવી છે. રાજ્ય સરકારો દ્વારા જે વ્યાવસાયિક સંસ્થાનોને છૂટ આપવામાં આવી છે તેમની સંખ્યા વધી છે. બીન જરૂરી વસ્તુઓની દુકાનો ખોલવા માટે મંજૂરી અપાઇ રહી છે.
મંત્રાલયે કહ્યું કે કોલકાતામાં રાજબજાર, નારકેલ ડાંગા, ટોપસિયા, મેતિયાબુર્જ, ગાર્ડેનરીચ, ઇકબાલપુર અને મુનિકટલા જેવા સ્થાનો પર શાકભાજી, માછલી અને માંસ બજારોમાં કોઇ નિયંત્રણ નથી અને ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું કોઇ પાલન કરાતુ નથી. ખાસ વાત એ છે કે નારકેલ ડાંગા જેવા સ્થાનો પર કોરોના વાયરસ જેવા કથિત કેસ વધારે સામે આવ્યા છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે એ પણ સામે આવ્યું છે કે પોલીસ ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપી રહી છે. મફત રાશન સંસ્થાગત સપ્લાય સિસ્ટમથી વહેંચવામાં આવી રહ્યું નથી. પરંતુ નેતાઓ દ્વારા વહેંચવામાં આવી રહ્યા છે. તેથી બની શકે છે કે તેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હોય.
મંત્રાલયે કહ્યું કે આ પ્રકારની ગતિવિધિઓ કેન્દ્ર સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 એક્ટ હેઠળ સમય-સમય પર જારી આદેશોની વિરુદ્ધ છે અને આ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવાને લાયક છે.
આ પત્રમાં આગળ એમ કહેવામાં આવ્યું કે એ અપીલ કરવામાં આવે છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને મંત્રાલયને આ વિશે તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આવા પ્રકારના ઉલ્લંઘનો નું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલા ઉઠાવામાં આવે.