સરકારે શાળા ચાલુ કરી સંચાલકો પર બાળકોને રામ ભરોસે છોડી દીધા પણ શું ખરેખર સ્કૂલોમાં કોરોના ગાઈડલાઇનનું પાલન થાય છે તે જોવાની જવાબદારી કોની?
કોરોના ગાઇડલાઇનના ધજાગરા
સ્કૂલવાનમાં વધુ બાળકો બેસાડ્યા
VTVએ વાન સંચાલકોને કર્યા સવાલો
રાજકોટ શહેરમાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડી રહ્યા છે. એક તરફ ઓમિક્રોનની દહેશત વધી રહી છે તો બીજી તરફ સ્કૂલવાન સંચાલકો કોરોનાની ગાઇડલાઇનનું નથી કરી રહ્યા પાલન. શાળાએ સ્કૂલ વાનમાં આવતા બાળકોને ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવી રહ્યા છે. બાળકોને મોટી સંખ્યામાં વાનમાં બેસાડવામાં આવતા હોવાથી VTVએ વાન સંચાલકને સવાલો કર્યા હતા.
અમારેય પેટ છે, ચૂંટણી આવે એટલે કોરોના ઘટી જશે
વાન સંચાલકો એ વાલીઓને ભાડા ન પરવડતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડાતા હોવાની વાત જણાવી તો સાથે 2 વર્ષથી શાળાઓ બંધ હોવાથી વાન સંચાલકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ હોવાથી પણ વધુ બાળકો બેસાડવામાં આવી રહ્યા છે. સ્કૂલ વાન ચાલકોએ કહ્યું કે કોરોના કાળમાં અમારી સ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ છે સીએનજીમાં પણ ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ચૂંટણી આવે એટેલ તમામ નીતિ નિયમો નેવે મૂકી બધી જ છૂટછાટ આપી દેવાય છે પણ પછી અચાનક જ કોરોનાનું બહાનું આગળ ધરી બધુ બંધ કરી દેવાય છે. આ એક રમત છે જે અમારો કોળિયો છીનવી રહી છે. સરકારે અમારી સામું પણ જોવાની જરૂર છે.
સળગતા સવાલો
સ્કૂલવાન સંચાલકો કેમ ઉડાવી રહ્યા છે ગાઇડલાનના ધજાગરા?
વાનસંચાલકો કરી રહ્યાં છે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં?
કોની રહેમ નજર હેઠળ આટલી મોટી સંખ્યામાં બેસાડાય છે બાળકો?
કેમ પોલીસદાદાઓના નજરે નથી ચઢતી સ્કૂલવાન?
કેમ શાળા સંચાલકો પણ નથી આપી રહ્યાં ધ્યાન?
વાલીઓની એવી તો શું મજબૂરી છે કે વાનમાં બાળકો મામલે નથી ઉચ્ચારતા શબ્દો?
સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાની જવાબદારી કોની?
બાળકોની જવાબદારી કોની?
પોલીસ તંત્ર, શાળાના સંચાલકો અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઇ ઓછા બાળકોને વાનમાં બેસાડવામાં આવે એ કાર્યવાહી કરે એ જરૂરી છે. કારણ કે બાળકોને માથે કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે કોઈ એ તો જવાબદાર બનવું જરૂરી છે, કોઈ એ તકલીફ વેઠવી જરૂરી છે. શિક્ષણ વિભાગ શાળા શરૂ કરી પણ શું શાળામાં કોરોના ગાઈડલાઇનનું પાલન થાય છે તે જોવાની જવાબદારી કોની? અને જો નીતિ નિમય પાડવામાં શાળા ઉણી ઉતરે છે તો કેવા પગલાં લેવાશે માત્ર પરિપત્ર જાહેર કરી શાળા શરૂ કરી હાથ ઊચા કરી લેવા તે કેટલું યોગ્ય?