નવસારી જિલ્લામાં સરેઆમ આચારસંહિતાનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું રહ્યું છે ચીખલી તાલસુકાના અનેક ગામમાં સરકારે બેનરો યથાવત જોવા મળી રહ્યા છે
નવસારી જિલ્લામાં આચારસંહિતાનું ઉલ્લંઘન
ચીખલીના અનેક ગામમાં બેનરો યથાવત
સરકારની યોજનાના હોર્ડિંગ અને બેનરો
નવસારી જિલ્લામાં સરેઆમ આચારસંહિતાનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું રહ્યું છે ચીખલી તાલસુકાના અનેક ગામમાં સરકારે બેનરો યથાવત જોવા મળી રહ્યા છે.. સરકારની યોજનાના હોર્ડિંગ અને બેનરો યથાવત જોતા તંત્રની કામગીરી લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.. ખુંધ, સુરખાઈ કાંટસવેલ અને વાંસદામાં પણ સરકારી જાહેરાતોના બેનરો જોવા મળી રહ્યા છે.. ચૂંટણીની જાહેરાત બાદ પણ અનેક વિસ્તારોમાં હોર્ડિગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે..
નવસારી જિલ્લામાં આચારસંહિતાનું ઉલ્લંઘન
મહત્વનું છે કે નવસારી જિલ્લાની 310 ગ્રામ પંચાયતોમાં 22મી નવેમ્બરે ચૂંટણી જાહેર થતાની સાથે જ જ્યાં ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, પરતું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડેલ આચારસંહિતામાં અનેક દિશાનિર્દેશો આપ્યા હોવા છતા આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.. ચૂંટણી આચારસંહિતા અમલી બનવાની સાથે જ સરકારની યોજનાઓની જાહેરાત કરતા વગેરે હોર્ડિંગ્સ, બેનરો તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવે છે. જો કે આચારસંહિતા અમલી બન્યાંના 6 દિવસ બાદ પણ હજુ કેટલીય જગ્યાએ સરકારી હોર્ડિંગ્સો જોવા મળે છે.
ચીખલીના અનેક ગામમાં બેનરો યથાવત
ચૂંટણીને જાહેરાત પહેલા સમગ્ર રાજ્યમાં સરકારે 3 દિવસીય ‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ કાઢી હતી. જેમાં ગામડાઓમાં થયેલા વિકાસની લોકોને જાણકારી અપાઈ, સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ગ્રામ યાત્રા નવસારી જિલ્લામાં પણ ફરી હતી. જોકે 20મી પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર નહીં થતા તેને આચારસંહિતા નડી ન હતી. પરતું ગ્રામ યાત્રા પૂર્ણ થયાના 1 દિવસ બાદ જ 22મીએ ચૂંટણી જાહેર થઈ હતી અને આચારસંહિતા અમલી બની હતી. તેમ છતા જિલ્લામાં અનેક ગામો એવા છે જ્યાં સરેઆમ આચારસંહિતાનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે..