ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યાં છે. હમીરપુરના ભરૂઆ સુમેરપુરમાં રવિવારે આ લગ્ન બે સંતોના શ્વાન સાથે થઇ હતી.
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યો
એક સંતે તેના શ્વાનના લગ્ન માદા શ્વાન સાથે કરાવ્યાં
જાનની બધી વિધિ હિન્દુ રીતિ-રીવાજ સાથે સંપન્ન થઇ
શ્વાનના લગ્ન માદા શ્વાન સાથે નક્કી કર્યા
સંતો પોતાના પાલતુ પશુઓના વિવાહ કરાવીને એકબીજાના સંબંધી બની ગયા. જાનની બધી વિધિ હિન્દુ રીતિ-રીવાજ સાથે સંપન્ન થઇ. ધૂમધામપૂર્વક જાન નિકળી. દ્વારચાર, ભાંવરે, કલેવાની પરંપરા પણ નિભાવવામાં આવી. સૌંખર અને સિમનોડી ગામના બીહડોમાં મનાસર બાબા શિવ મંદિર છે. આ મંદિરના મહંત સ્વામી દ્વારકા દાસ મહારાજ છે. તેમણે પોતાના પાલતુ શ્વાન કલ્લુના લગ્ન મૌદહા ક્ષેત્રના પરછછ ગામના બજરંગબલી મંદિરના મહંત સ્વામી અર્જુનદાસ મહારાજના પાલતુ માદા શ્વાન સાથે નક્કી કર્યા.
શેરીમાં વાજતે-ગાજતે જાન ફરી
લગ્ન 5 જૂને નક્કી કર્યા. નક્કી કરેલી તિથિ મુજબ દ્વારકા દાસ મહારાજ અને અર્જુન દાસ મહારાજે તેના શિષ્યો, શુભચિંતકોને કાર્ડ મોકલીને લગ્ન સમારોહમાં સામેલ થવાનો આગ્રહ કર્યો. જાન નિકાળનાર મનાસર બાબા શિવ મંદિરમાંથી વાજતે-ગાજતે નિકળી. જાને સૌંખર ગામની શેરીઓમાં ભ્રમણ કર્યુ. ત્યારબાદ જાન મૌદહા ક્ષેત્રના પરછછ ગામ માટે રવાના થઇ. અહીં બજરંગબલી મંદિરના મહંત સ્વામી અર્જુન દાસ મહારાજે જાનની ભવ્ય આગેવાની લીધી અને સ્વાગત સત્કાર બાદ દ્વારચાર, ચઢાવા, ભાંવરો, કલેવાની પ્રથા પૂર્ણ કરાવીને જાનને ધૂમધામપૂર્વક સાથે વિદાય અપાઈ.
શ્વાનને સોના-ચાંદીના ઘરેણાથી સજાવવામાં આવ્યાં
શ્વાન-માદા શ્વાનને નવા કપડા અને સોના-ચાંદીના ઘરેણાથી સજાવવામાં આવ્યાં. જાનૈયાઓ માટે અલગ પ્રકારના વ્યંજન તૈયાર કરાવવામાં આવ્યાં હતા. આ અનોખા લગ્ન આખા ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જાનમાં બંને પક્ષ તરફથી અંદાજે 500 લોકો ઉપસ્થિત રહ્યાં હતા.