હિન્દુ નવુવર્ષ એટલેકે વૈદિક પંચાગ મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથીથી આરંભ થાય છે, જે ચાલુ વર્ષે 2 એપ્રિલ 2022થી છે.
હિન્દુ નવુવર્ષ વિક્રમ સંવત 2079ના નામથી ઓળખવામાં આવશે
આ વર્ષના રાજા શનિ ગ્રહ અને મંત્રી ગુરૂ ગ્રહ રહેશે
જાતકોના જીવનને ઘણી સ્થિતિમાં પ્રભાવિત કરશે
હિન્દુ નવાવર્ષનો શુભારંભ
હિન્દુ નવુવર્ષ વિક્રમ સંવત 2079ના નામથી ઓળખવામાં આવશે. આ વિક્રમ સંવત નલ નામનુ સંવત છે અને આ ઈન્દ્રાગ્નિ યુગનુ અંતિમ વર્ષ છે. એક યુગમાં પાંચ વર્ષ હોય છે. આ વર્ષના રાજા શનિ ગ્રહ છે અને આ વર્ષના મંત્રી ગુરૂ ગ્રહ છે. હિન્દુ નવાવર્ષ પહેલા દિવસે સ્વામીને આખા વર્ષમાં રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણકે આ વખતે નવુવર્ષ 2079ની શરૂઆત શનિવારે 2 એપ્રિલથી થઇ રહી છે. તો આ વર્ષે ગ્રહોના મંત્રીમંડળના રાજા કર્મફળ દાતા અને ન્યાયાધીશ તરીકે મનાતા શનિદેવ રહેશે. વર્ષ 2022માં શરૂ થતુ આ નવુ વર્ષ શનિદેવના પ્રભાવને કારણે ઘણા મામલે ખાસ રહેશે. આ નવા વર્ષે જ્યાં એક તરફ શનિ રાજાના સિંહાસન પર બિરાજમાન છે તો બીજી તરફ દેવગુરૂ બૃહસ્પતિ મંત્રીના સ્થાને રહેશે.
શનિ-બૃહસ્પતિ ધીમી ગતિથી ચાલતો ગ્રહ
શનિ-ગુરૂનુ મંત્રીમંડળને સંભાળવુ જાતકોના જીવનને ઘણી સ્થિતિમાં પ્રભાવિત કરશે. એક સંયોગ એવો પણ છે કે શનિ અને બૃહસ્પતિ જે ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે, એપ્રિલ મહિનામાં રાશિ બદલી રહ્યાં છે. બંને ગ્રહો ખૂબ આરામદાયક સ્થિતિમાં હશે. એટલેકે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં જતા રહેશે અને બૃહસ્પતિ પોતાની રાશિ મીનમાં ગોચર કરશે. તેથી આ ગોચરના કારણે આ ગ્રહ તેનુ મહત્તમ ફળ આપવામાં સક્ષમ થશે.
1500 વર્ષ બાદ બની રહ્યો દુર્લભ સંયોગ
વર્ષ 2022માં 1500 વર્ષ બાદ રેવતી નક્ષત્ર અને ત્રણ રાજયોગોના અત્યંત દુર્લભ સંયોગોમાં હિન્દુ નવાવર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. જ્યોતિષીઓ મુજબ, નવાવર્ષમાં બનનારી ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિ ઘણા પ્રકારે ખાસ છે. વિક્રમ સંવત 2079ના પ્રારંભમાં મંગળ તેની ઉચ્ચ રાશિ મકર, રાહૂ તેની ઉચ્ચ રાશિ વૃષભ અને કેતુ તેની ઉચ્ચ રાશિ વૃશ્વિકમાં રહેશે. ગ્રહોના રાજા તરીકે શનિ પણ પોતાની રાશિ મકરમાં ગોચર કરશે. તેથી આ વખતે શુભ સંયોગમાં 1500 વર્ષ બાદ શનિ-મંગળની યુતિમાં હિન્દુ નવાવર્ષની શરૂઆત થઇ રહી છે. વિક્રમ સંવત 2079 વૃષભ, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે સારું રહેશે. આ રાશિના જાતકોને આખુ વર્ષ આર્થિક મોરચે લાભ થશે.