કમિશન કાંડની તપાસ કરી રહેલા અધિકારી વિકાસ સહાય કોરોના મુક્ત થતાં વસુલીકાંડની તપાસનો ધમધમાટ પુનઃ શરૂ
રાજકોટ તોડબાજીના આક્ષેપની ફરી તપાસ
તપાસનીશ અધિકારી વિકાસ સહાય કોરોનામુક્ત
આજે સખિયા બંધુઓને ગાંધીનગર બોલાવાયા
આજથી રાજકોટ વસુલીકાંડની તપાસ ફરી શરૂ થશે
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તેને લઈને તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ તપાસ પણ DGP ટ્રેનીંગ વિકાસ સહાય દ્વારા કરવામાં આવી રહી છે. જેઓ મનોજ અગ્રવાલ કરતા 2 વર્ષ સિનીયર છે. જોકે હાલ આ સમગ્ર મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં DGP વિકાસ સહાય કોરોના સંક્રમિથ થયા હતાં. જો કે, હાલ તેઓની તબિયત સ્વસ્થ છે. અને તેઓ ક્વાોરન્ટાઈનમાંથી મુક્ત થયા છે.
શનિવાર સાંજ સુધીમાં રિપોર્ટ સોંપાય જાય તેવી શકયતા
વિકાસ સહાય ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થતાંની સાથે જ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપના તપાસ ધમધમાટ પુનઃ શરૂ થયો છે. વિકાસ સહાયે આ કેસના ફરિયાદી સખીયા બંધુને ગાંધીનગરનું તેડું મોકલ્યું છે.આમ આજે ફરિયાદી સખિયા બંધુઓ પુરાવા રજૂ કરીને નિવેદન આપશે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ગોવિંદ પટેલના લેટર બોમ્બ પછી ગૃહ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમા DGP વિકાસ સહાયે તપાસ હાથ ધરી હતી અને ગાંધીનગર તેમજ રાજકોટથી નિવેદનો લેવાયા હતા.