કોરોના સંકટને કારણે દેશ લોકડાઉનની સ્થિતિમાં મુકતા હજારો લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. દેશના આ નબળા વર્ગને મદદ કરવા ઘણા લોકો સામે આવી રહ્યા છે. આ લોકોમાં બે બીજા નામો જોડાઈ ચુક્યા છે જે છે બોલીવુડ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન અને ન્યુ યોર્ક રહેતા ભારતના જાણીતા શેફ વિકાસ ખન્ના.
ફારાહ ખાને હમણાં વિકાસ ખન્ના સાથે મળીને 72000 જેટલા સેનિટરી પેડ્સ મહિલા પરપ્રાંતિય શ્રમિકોને વહેંચ્યા હતા. તે અત્યારે મુંબઈ રહે છે. તેણે વિકાસ સાથે ફોન ઉપર વાતચીત કરીને આ નિર્ણય લીધો હતો.
A post shared by Vikas Khanna (@vikaskhannagroup) on
48 વર્ષના વિકાસે છેલ્લા 1 મહિનામાં 3100 ક્વિન્ટલથી વધારે રેશન દેશના 79 શહેરોમાં અનાથાશ્રમ, ઘરડાઘર વગેરેમાં વિતરિત કર્યું છે. નોંધનીય છે કે આમ કરવામાં એક વખત તેણે વેપારીને રકમ ચૂકવી હોવા છતાં તેણે અનાજ ન પહોંચાડ્યું પરંતુ આવી છેતરપિંડી જેવા બનાવ ઉપર ધ્યાન ન આપીને વિકાસ ખંતથી ખોરાકનું દાન કરે છે.