દેશભરમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તમે પણ આ કામ કરી લેશો તો તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહેશે.
વિજયા દશમીની કરો ધૂમધામથી ઉજવણી
દશેરા પર કરી લો આ એક કામ
જીવનમાં હંમેશા બની રહેશે સુખ શાંતિ
હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસના શુક્લ પક્ષની દશમની તિથીએ દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને આ જ તિથીએ માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.
ઘરમાં સુખ સમૃદ્ધિ માટે
વિજયાદશમીના દિવસે ઘરના ઇશાન કોણમાં કંકુ કે લાલ રંગના ફૂલોની રંગોળી અથવા અષ્ટકમલની આકૃતિ બનાવવી જોઇએ. આવું કહેવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
બરકત માટે
દશેરાના દિવસે શમી વૃક્ષની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી બરકત થાય છે અને શમીના ઝાડની માટીને ધઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓનો અસર સમાપ્ત થાય છે.
નોકરીમાં ઉન્નતિ
દશેરાના દિવસે માતા દુર્ગાની પૂજા કરતા સમયે ओम विजयायै नम: મંત્રનો જાપ કરો અને સાથે જ માતાને 10 ફળ ચઢાવો. બાદમાં આ ફળને પ્રસાદ તરીકે વહેંચી દો. બપોરના સમયે પૂજા કરો અને બાદમાં એક નવી સાવરણી લઇને મંદિરમાં દાન કરો.
વ્યાપારમાં તરક્કી માટે
વ્યાપારમાં તરક્કી માટે દશેરાના દિવસે એક નારિયેળને પીળા કપડામાં લપેટીને સવા પાન અને મિઠાઇ સાથે રામ મંદિરમાં ચઢાવી દો.
ભાગ્ય માટે
દશેરાના દિવસે નિલકંઠના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ભાગ્યનો સાથ મળે છે.
સુખ સમૃદ્ધિ માટે
દશેરાના દિવસે પાન ખાવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી વૈવાહિક જીવન સુખી થાય છે.