અમદાવાદઃ વિજ્યાદશમી નિમિતે રાવણની દહન વિધી યોજવામાં આવે છે. આથી ગુજરાતના વિવિધ શહેરોમાં પણ રાવણ દહનો કાર્યક્રમ ભારે આતશબાજી સાથે યોજાઇ હતી. સુરતમાં વિશાળ સંખ્યામાં લોકો દહનવિધી નિહાળવા પહોચ્યા હતાં.
તો આ તરફ રાજકોટ પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટમાં રાવણની પ્રતિમા સાથે મેઘનાથ અને કુંભકર્ણની પણ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. ભવ્ય આતશબાજી સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ રીતે અમદાવાદમાં પણ રાવણના દહન વિધીનો કાર્યક્રમ આતશબાજી સાથે યોજાયો હતો.
લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગીને તહેવાર ઉજવણી
દશેરાના દિવસે ભગવાન શ્રીરામએ રાવણને વધ કરી વિજય મેળવ્યો હતો. તેને ખુશીમાં તેથી લોકોએ શ્રીરામને ભાવતી શાશ્કુલી જેને બધા જલેબી કહીએ છે એ શાશ્કુલી(જલેબી) નગરમાં વહેંચી હતી. ત્યારથી જ જલેબી ખાવાની પરંપરા છે. ત્યારે મીઠાઈની સાથે કોઈ ફરસાણનો ચટકારા હોય તો મજા બમણી થઈ જાય છે. વિજયાદશમીએ ફાફડા-જલેબીની નાગરિકો લિજ્જત માણે છે.
અમદાવાદીઓ એક જ દિવસમાં લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગીને તહેવાર ઉજવણી કરે છે. આ વર્ષે વેપારીઓએ ફાફડાના ભાવમાં કિલોએ 20થી 40 ટકાનો વધારો કર્યો છે. દશેરાએ અબાલ-વૃદ્ધ સૌ કોઇ ફાફડા-જલેબી આરોગીને જ વિજયાદશમી ઉજવે છે. અમદાવાદમાં ફરસાણની લગભગ 3 હજાર દુકાનો છે.
આ વર્ષે ફાફડા 450થી લઇ 580 રૂપિયે કિલો તેમજ જલેબી 500થી લઇ 580 રૂપિયે કિલો ભાવ છે. વેપારીઓ જીએસટી તેમજ ખાદ્યચીજોના ભાવમાં ઉછાળાને અને કારીગરના ખર્ચને ભાવવધારા માટે જવાબદાર ગણાવે છે.
વિજ્યા દશમીઃ વાહનોની ખરીદીનું વિશેષ મહત્વ
વિજ્યા દશમીના દિવસે નવા વાહનો ખરીદવાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે વાહનો ખરીદવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ વાહનો ખરીદવા માટે ઉત્સાહ બતાવ્યો. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાહન ખરીદીમાં ત્રીસથી ચાળીશ ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન થઈ ગયા છે ત્યારે લોકો પેટ્રોલની કાર ખરીદતા વધુ જોવા મળ્યા.
ગાંધીનગરમાં CM વિજય રૂપાણી કર્યુ શસ્ત્રપૂજન
ગાંધીનગરમાં વિજયા દશમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શસ્ત્રપૂજન કર્યુ હતું. ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરક્ષાકર્મીઓ સાથે મુખ્યમંત્રી શસ્ત્રપૂજન કર્યુ હતું. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતાં.
ત્યારે અમદાવાદમાં પણ પોલીસ હેડક્વાટર્સમાં પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તો રાજકોટ પણ દશેરાના નિમિતે શસ્ત્રોની પુજા કરવામાં આવી હતી. રાજકોટમાં પોલીસ હેડ કવાટર્સમાં શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટના કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ શસ્ત્ર પુજન કર્યુ હતું.