આ તો પ્રમોશન થયું, વિજય ભૂવાજીને ત્યાં વધુ ફાવશે ભાજપમાં ડાકલા વગાડનાર પણ વધુ છેઃ જયરાજસિંહના ભાજપ અને AAP પાર્ટી પર પ્રહાર
વિજય સુવાળા ભાજપમાં જોડાયા
કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કર્યો કટાક્ષ
વિજય સુવાળાનું પ્રમોશન થયું: જયરાજસિંહ
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ભાજપે AAPમાં સૌથી મોટી સેંધ પાડી વિજય સુંવાળાને કેસરીયો પહેરાવ્યો છે. ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસ પોતાનું નિવેદન જાહેર કરી ભાજપ અને આપ પાર્ટીને આડે હાથ લીધી છે.
વિજય સુવાળા 'B' ટીમમાંથી A ટીમમાં ગયાઃ જયરાજસિંહ
વિજયભાઇ સુંવાળા જે હમણાં જ ભાજપ પાર્ટીમાં જોડાયા છે. દરેક વ્યક્તિને અભિવ્યક્તિ છે કે તે ગમે તે પાર્ટીમાં જોડાઈ શકે છે. પણ બીજી રીતે જોવા જઈ તો એ ભાજપની 'B' ટીમમાંથી A ટીમમાં ગયા છે. વિજયભાઈ એવું કહે છે કે 3 પેઢીથી મારો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં છે. એમને હું કહેવા માગું છું કે ભાજપની સ્થાપના થઈ તેને માંડ એક પેઢી થઈ છે. તો એમનો પરિવાર ક્યાંથી જોડાયો હશે. વધુમાં જયરાજસિંહે આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે ભૂવાજી ત્યાં ગયા છે અને ભાજપમાં ડાકલા વગાડનારા પણ વધુ છે. એટલે તેમને મજા પણ આવશે મારી શુભકામનાઓ છે. આમ કોંગ્રેસે AAP પાર્ટીને ભાજપની B ટીમ કહી આકરા આરોપ કર્યા હતા.
પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છેઃ વિજય સુવાળા
આજ રોજ સૌ પ્રથમ એક ઉદાહરણ આપુ છું. પોતાના ઘરે પાછો આવ્યો છું. રાતનો ભૂલેલો સવારે ઘરે પાછો આવ્યો છું. આજનો માહોલ મારી જિંદગી માટે ખુબ અમુલ્ય છે. મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ. તન મન ધનથી ભાજપની સેવા કરીશ.
ભાજપની ફોજમાં રહેવું રે...
વિજય સુવાળાએ કહ્યું કે, ભાજપ વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે, હું આપ પાર્ટી જોઈને ન હોતો ગયો પરંતુ મેં મિત્રતાના હિસાબે તે પક્ષ જોઇન કર્યો હતો અને મેં મિત્રતા નિભાવી છે. પરંતુ મને થયું કે ભાજપ તરફથી સેવા કરવાનો મોકો વધુ સારો મળશે કારણ કે ભાજપ સત્તામાં છે. પેઇજ પ્રમુખ સુધી ભાજપ મજબુત છે, તેમની વિચારધારા સાથે. સી.આર. પાટીલ આટલી ઉંમરે પણ એક દિવસ બેઠા નથી, તો મારી આટલી ઉંમરે હું કેમ બેસી રહું. બાદમાં વિજય સુવાળાએ અગાઉ ગાયેલુ ગીત ફરી દોહરાવ્યું હતું... મોજ મોજ મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે..
તેઓ કદાચ ભ્રમ આવી ગયા હતા, હવે ઘરવાપસી થઈ છે: સી.આર. પાટીલ
વિજય સુવાળા ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, વિજય સુવાળા ભાજપમાં પ્રવેશ કર્યો છે, તેમના કહેવા મુજબ જ ઘરવાપસીનો કાર્યક્રમ છે, તેઓ પોતાના ઘરે પાછા આવ્યા છે, તેઓ બીજી પાર્ટીમાં જોડાયા પહેલા પણ મને મળ્યા હતા, પરંતુ કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે તેમાં તેઓ કદાચ આવી ગયા અને મારો આ રસ્તો નથી, તે જે કલાકાર તરીકે લોકો તેમને ચાહે છે, તેમનામાં જે વિશ્વાસ મૂકે છે, તેમનો વિશ્વાસ ખૂટે છે તેવું લાગ્યું અને તેમણે પાર્ટીમાં પરત ફરવાનો પ્રસ્તાવ મૂક્યો અને અમે આવકાર્યા છે.