ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે તેઓ કમલમ પહોંચે તે પહેલા VTV સાથે વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું છે.
મારી ઉંમર નાની છે, રાતનો ભૂલ્યો સવારે ઘરે આવ્યો છું: વિજય સુવાળા
મારી સાથે 5000 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશેઃ વિજય સુવાળા
આજે મોટું શક્તિ પ્રદર્શન થઈ શકતું હતું પરંતુ કોરોનાને લઇને નથી થઇ શકેઃ સુવાળા
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. તેવામાં હવે રાજીનામા બાદ તેઓ કમલમ ખાતે જઇ રહ્યા છે. ભાજપમાં જોડાય તે પહેલા જ વિજય સુવાળાએ સૂચક નિવેદન આપ્યું છે.
મારી ઉંમર નાની છે, રાતનો ભૂલ્યો સવારે ઘરે આવ્યો છું: વિજય સુવાળા
VTV સાથેની વાતચીતમાં પૂર્વ આપ નેતા વિજય સુવાળાએ કમલમ જતા પહેલા કહ્યું કે, દરેક રાજકીય પક્ષની નીતિ અલગ હોય છે, પરંતુ કુટુંબનો કોઈ મોભી એક પક્ષમાં હોય તો દિકરા અને પરિવારે પણ એજ પાર્ટીમાં રહેવું જોઈએ. ત્યારે મારી ઉંમર નાની છે, રાતનો ભૂલેલો દિવસે ઘરે આવ્યો. સુવાળાએ કહ્યું કે, મેં કોઈ ઉતાવળમાં કાર્ય નથી કર્યું, સભાનતામાં રહીને મેં આત્મનિર્ણયો લીધા છે, મેં જે સમયે જે નિર્ણય લીધો તે રાઇટ જ હશે.
આજે મોટું શક્તિ પ્રદર્શન થઈ શકતું હતું પરંતુ કોરોનાને લઇને નથી થઇ શકેઃ સુવાળા
સુવાળાએ કહ્યું કે, મેં રાજીનામાની જાહેરાત કરી ત્યારે મારા 2000 સમર્થકોએ પણ મારી સાથે રાજીનામા આપ્યા હતા. હાલ અમારુ 2000 યુથનું આ ગ્રુપ સેવાકીય કાર્યો કરે છે. કોરોના ગાઇડલાઇનને લઇને 150થી વધુ લોકોને લઇ નથી લઇ જવાના નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન થઇ શકતું હતું. મારી સાથે 5000 લોકસેવકો અને કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાશે.