આજે જ જાણીતા વિજય સુંવાળા ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવવાના છે.
વિજય સુવાળા આજે ભાજપમાં જોડાશે
થોડીવારમાં કમલમ ખાતે પહોંચશે સુવાળા
બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામુ
ગુજરાતનાં જાણીતા ગાયકકલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુંવાળા ટૂંક સંયમાજ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે. સોમવારે માતાજીના દર્શન અને આરતી કર્યા બાદ વિજય સુંવાળા કમલમ માટે રવાના થશે અને આજે જ બપોરે 1 વાગે આધિકારિક રીતે કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ જશે.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. તેવામાં હવે રાજીનામા મુદ્દે વિજય સુંવાળાએ VTV સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે.
શું કર્યું એલાન?
મીડિયા સાથે વાતચીતમાં વિજય સુંવાળાએ કહ્યું કે હું એક લોકસેવક છું એટલે જ હું જે લોકો માટે કામ કરશે તે પાર્ટીમાં જોડાઈશ. ભારતીય જનતા પાર્ટીમાંથી મને ઘણીવાર આમંત્રણ મળ્યું છે તેથી આજે જ હું વાતચીત કરવા માટે જઈ રહ્યો છું અને તે બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. હું રાજકીય મિત્રો અને વડીલો સાથે વાતચીત કર્યા બાદ કમલમમાં જઈશ. વિજય સુંવાળાએ કહ્યું કે જે વ્યક્તિ સમયને સમજી જાય તે જ સાચો વ્યક્તિ કહેવાય. મને ઘણા સમયથી ભાજપમાંથી આમંત્રણ હતું તેથી આજે મળવા માટે જઈ રહ્યો છું.
AAP નેતા વિજય સુવાળાનું AAPમાંથી રાજીનામુ
AAPમાંથી રાજીનામા મુદ્દે વિજય સુવાળાએ VTV સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવા પક્ષને ખૂબ જ સફળતા મળી છે. હું AAPમાંથી રાજીનામું આપુ છું. હું શાંતિથી મારા કાર્ય કરવાનો છું. લોકોએ મને ગીતોમાં પ્રેમ આપ્યો છે. કોઇપણ પક્ષ મહેનત કરશે તો સફળતા મળશે. મને કોઇ રાજનૈતિક દબાણ નથી. ગુજરાતના દરેક પક્ષ મને પ્રમે આપશે.
વિજય સુવાળા છેલ્લા ઘણા સમયથી નારાજ
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી નેતા વિજય સુંવાળા ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચુંટણીમાં મતદાન કુટીરની અંદરના EVMનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો હતો. જેમાં આપ નેતા વિજય સુંવાળા પર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ કરવામાં આવી હતી.