તમિલનાડુના ઑલરાઉન્ડ વિજય શંકરે નાના એવા ઇન્ટરનેશનલ કરિયરમાં બૉલિંગ અને બેટિંગ સાથે સારુ પ્રદર્શન કરીને વર્લ્ડકપની ટિકિટ મેળવી લીધી છે.
વિજયને તેના શાનદાર ફોર્મના કારણે 2019 વર્લ્ડકપના 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યુ છે. વિજય શંકરે ટીમ ઇન્ડિયામાં ચોથા ક્રમની જવાબદારી સંભાળવા માટે મોટો દાવેદાર મનાય છે. જો મુંબઇની રણજી ટીમના બૉલર શાર્દુલ ઠાકુરથી એક ભૂલ ન થઇ હોત તો આ સપનું ક્યારેય પણ પૂરુ ના થયુ હોત.
વાસ્તવમાં ગૌરવ કપૂરનો ટોક શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં શંકરે પોતાના કરિયરના ટર્નિંગ પોઇન્ટ વિશે વાત કરી. શંકરે રણજી ટ્રોફી ક્રિકેટના એક કિસ્સાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યુ કે, ''શાર્દુલ ઠાકુરના નૉ બોલે તેનું કરિયર બચાવી લીધું.''
શંકરે કહ્યું, રણજી ટ્રોફિમાં હું કેપ્ટન સાથે રમી રહ્યો હતો ત્યારે અમારી વચ્ચે સારી પાર્ટનરશિપ થઇ હતી. અમારી પાર્ટનરશિપ રન આઉટથી તૂટી અને અમે મેચ હારી ગયા. આ પછી મને સાઇડ કરી દેવામાં આવ્યો. લોકો વાત કરી રહ્યા હતા કે મારી તમિલનાડુ માટે છેલ્લી મેચ છે અને તે આગળ ક્યારેય નહીં રમી શકે. પછી મને તમિલનાડુની ટીમમાં જગ્યા બનાવવા ફાઇટ કરવી પડી.
આ બાદ મુંબઈ સામે ચેન્નૈની ટીમનો મુકાબલો તેના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. આ મેચમાં શાર્દુલે ખૂબ જ સારો બોલ ફેંક્યો અને તે સ્ટમ્પ પર વાગ્યો. પરંતુ તેમાં ટ્વિસ્ટ નીકળ્યું અને બોલ નૉ બોલ હતો. આ સમયે હું પાંચમા ક્રમે બેટિંગ કરી રહ્યો હતો અને મેં 95 રન કર્યા. જો આ નૉ બોલ ન હોત તો તમિલનાડુ માટે મારી અંતિમ મેચ બની ગઇ હોત.
વિજયે આગળ કહ્યુ કે, ''95 રનની તે ઈનિંગ બાદ મારી સીઝન સારી રહી. મને આગળ જઈને ટીમ ઇન્ડિયા માટે મને સ્થાન મળ્યુ અને બધુ સારુ થતુ રહ્યુ. મને રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી.'' 8 વર્ષના વિજય શંકર માટે શાર્દુલ ઠાકુરનો નૉ બોલ વરદાન સાબિત થયો. આવું ન બન્યું હોત તો તે ક્યારેય વર્લ્ડકપની ટિકિટ ન મેળવી શક્યો હોત.