ICC વર્લ્ડ કપ 2019માં ખિલાડીઓ એક પછી એક ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે.ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે.
ભારતીય ટીમનો ખિલાડી વિજય શંકર ઇજાગ્રસ્ત થયો છે. વિજય શંકરને બુધવારે વરસાદથી પ્રભાવિત ટ્રેનિંગ સેશન દરમિયાન પગના અંગૂઠા પર ઇજા થઇ છે. જોકે 28 વર્ષના વિજય શંકરની ઇજા એટલી ગંભીર નથી, પરંતુ તેના લીધે ટીમમાં ટેન્શન વધી ગયુ છે.
બુધવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન જસપ્રીમ બુમરાહની યોર્કર શંકરના પગ પર વાગ્યો, જેનાથી તેની આંગળી પર ઇજા થઇ. જોકે વિજય શંકર થોડા સમય સુધી દુખાવાથી પરેશાન રહ્યો. જોકે ટીમના નજીકના સૂત્રોનુસાર, કોઇ ચિંતાની વાત નથી. બૉલ વિજય શંકરના પગ પર વાગી હતી અને તે સમયે તેણે ઘણો દુખાવો થઇ રહ્યો હતો જોકે પછી તે ઠીક થઇ ગયો.
ઉલ્લેખનીય છે કે, વિજય શંકર (5.2-0-22-2) એ પાકિસ્તાન વિરુદ્ઘ મેચમાં પોતાને સાબિત કર્યુ કે તે સારું ફોર્મ કરી શકે છે. ભુવનેશ્વર ગ્રાઉન્ડમાંથી બહાર ગયો અને તે ઑવરને પૂરી કરવા માટે વિજય શંકરે કહેવામાં આવ્યુ તો તેણે પહેલી જ બૉલમાં વિકેટ પોતાના નામે કરી.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા પોતાના વિજય રથ પર સવાર છે. જોકે સલામી બેટ્સમેન શિખર ધવન પણ અંગૂઠાની ઇજાને કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને જગ્યા મળી છે.
તો બીજી તરફ ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમાર પણ મસલ્સને કારણે ટીમમાંથી બહાર થયો છે, તે આગામી કેટલીક મેચમાં બૉલિંગ નહી કરી શકે.કહેવાઇ રહ્યુ છે કે, ભુવનેશ્વર ઇંગ્લેન્ડ વિરુદ્ઘ થનારી અંતિમ લીગ મેચ પહેલા ફિટ થઇ જશે.
ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ શનિવારે અફધાનિસ્તાન સામે રમશે.