Vtv Conclave-2019ની મહાલોકતંત્રની મહાપરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં. મહાલોકતંત્રની મહાપરિષદમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે જનતા બીજા કોઇને વડાપ્રધાન ઇચ્છતી જ નથી. સીએમ રૂપાણીએ કહ્યું કે અબ કી બાર ફીર સે મોદી સરકાર.
સીએમ રૂપાણીએ પીએમ મોદીને લઇને કહ્યું કે નરેન્દ્રભાઇ જે કંઇ કહે છે તે સ્પષ્ટ કહે છે. સીએમ વિજય રૂપાણીએ Vtv Conclaveમાં કહ્યું કે અમે તમામ 26 બેઠક જીતીશું. 2022માં ખેડૂતોની આવક બમણી થશે. પીએમ મોદીએ કોઇને ચાંદ-તારા દેખાડયાં નથી. પીએમ મોદી જે બોલે છે તે કરીને બતાવે છે. નોટબંધીનો નિર્ણય જેવા તેવાનું કામ નથી તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું. ભ્રષ્ટ લોકો નોટબંધીનો વિચાર જ ન કરી શકે.
સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે અગાઉ દેશે 55 વર્ષ ભ્રષ્ટાચાર સહન કર્યો. 5વર્ષના ટૂંકાગાળામાં અનેક યોજનાઓ આપી. Vtv Conclaveમાં સીએમ રૂપાણીએ કહ્યું કે અગાઉની કેન્દ્રની સરકારોમાં ઘણા દાવાઓ થયા છે. બે બે દાયકાઓથી દેશ ત્રાસવાદનો ભોગ બન્યો છે. પાકિસ્તાન અને કોંગ્રેસ પાર્ટી એક હોય તેવું થઇ ગયું છે.
Vtv Conclaveમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે મનમોહન સરકારે કંઇ નથી કર્યું અને પુરવાઓ માંગવા નીકળ્યાં છે. અમને લાગ્યું કે યોગ્ય નથી એટલે અમે પીડીપી સાથે છેડો ફાડી નાંખ્યો. અત્યાર સુધી કોંગ્રેસે પાકિસ્તાન સામે કેમ કોઇ પગલા ન ભર્યાં. કોંગ્રેસે કહ્યું અમે ગરીબોના ખાતામાં 72 હજાર રૂપિયા નાંખીશું.