અરવિંદ ધૂણે છે ને ધૂણાવે છે : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
તાજેતરમાં જ રાજકોટમાં રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીનો ધૂણતો એક વીડિયો વાયરલ થયો હતો. માતાજીના માંડવામાં ચૂંદડી ઓઢી રૈયાણી ધૂણી રહ્યાં હતાં. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ગઇ કાલે રાજકોટમાં કે.ડી હોસ્પિટલના કાર્યક્રમમાં વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણી સાથે રમૂજ કરતા કહ્યું હતું કે, 'અરવિંદ તુ ધૂણે છે? આપણે થોડું ધૂણવાનું હોય, આપણે ધૂણાવવાના હોય.'
ગુંદા ગામે માતાજીના માંડવામાં અરવિંદ રૈયાણી ધૂણ્યા હતા
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ગુંદામાં પરિવારના માતાજીના માંડવામાં રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી ચૂંદડી ઓઢી ધૂણ્યા હતાં અને પરિવાર અને સમાજના લોકો રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. સાથે તાલુકા ભાજપ પ્રમુખ પણ ધૂણતા નજરે પડ્યા હતા. ગત રાત્રીએ ગુંદા ગામે માતાજીનો માંડવો યોજાયો હતો. જેમાં સાંકળ લઈને પોતાના શરીર પર ફટકા મારતા પણ અરવિંદ રૈયાણી નજરે પડ્યા હતા. ત્યારે ગઇ કાલે રાજકોટના હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણી સાથે રમૂજ કરી હતી.
વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણીને કહ્યું હતું કે, 'અરવિંદ તુ ધૂણે છે? આપણે થોડું ધૂણવાનું હોય, આપણે ધૂણાવવાના હોય.' જો કે, એ દરમ્યાન ત્યાં હાજર રહેલા ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે પણ કીધું હતું કે, 'અરવિંદ ધૂણે છે ને ધૂણાવે છે.' જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયો છે.
'અરવિંદ ધૂણે છે ને ધૂણાવે છે: ભાજપ નેતા ગોવિંદભાઇ પટેલ
આ દરમ્યાન વિજય રૂપાણીની ટકોર સામે અરવિંદ રૈયાણી મૌન રહ્યાં હતાં. પરંતુ ભાજપ નેતા ગોવિંદભાઇ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, 'અરવિંદ ધૂણે છે ને ધૂણાવે છે.' જો કે, સામે વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે, 'આપણે ધૂણાવવાના જ હોય.'
જુઓ મંત્રી અરવિંદ રૈયાણીએ શું કહ્યું હતું?
મારુ ગામ રાજકોટથી 15 કિલોમીટર દૂર છે. અમારા રૈયાણી પરિવારનો માંડવો હતો. 42 જેટલા માતાજીના મઢ આવેલા છે. દરેક સમાજની અંદર કુળદેવીનું પૂજન થતું હોય છે. હું 15 વર્ષથી અમારા રૈયાણી પરિવારના માતાજીનો ભૂવો છું. એટલે ઘણી વાર લોકો કહેતા હોય છે કે ભૂવા પહેલું બીજી ત્રીજું કરતાં હોય છે. તો આની અંદર દોરા ધાગા કે દાણા નાખવાની કોઈ પરંપરા જ નથી. સમગ્ર હિન્દુ સમાજ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરેક સમાજના અલગ અલગ માંડવા થતાં હોય છે જેમાં વિધિ મુજબ કુળદેવીની પાર્થના થતી હોય છે. આ અમે કોઈ ઊભી કરેલી પરંપરા નથી વર્ષો જૂની છે.આસ્થા મુજબ અમે કોઈ ખોટું કામ કરતાં નથી. એટલે હું ભૂવો એટલે અન્ય જે સમજતા હોય એ સમજવા દો.
માતાજીની ચૂંદડી ઓઢી ધૂણ્યા હતા
તમને જણાવી દઈએ કે અરવિંદ રૈયાણી રાખડી બંધ ભૂવા તરીકે ઓળખાય છે. માતાજીના માંડવાની આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવાઅરવિંદ રૈયાણી તરીકે લખવામાં આવ્યું છે. ગઈ કાલના કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી પોતાના માથા પર માતાજીની ચૂંદડી પણ ઓઢી ધૂણતા નજરે પડ્યા હતા.જે બાદ શરીર પણ સાંકળોના કોરડા પણ શરીર પર માર્યાં હતા.