ગાંધીનગરઃ રાજયમાં ભાજપની સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે જેની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે. ત્યારે મુખ્યમંત્રીને લઇને અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ચર્ચા થઇ હતી.
જયાં સૂત્રો તરફથી માહિતી મળી હતી કે વિજય રૂપાણીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા સહમતી સધાઇ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ યથાવત્ રાખવામાં આવશે. જોકે ગુજરાતની હાલની સ્થિતિ જોઇને વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા સહમતી સધાઇ છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના નામની રેસમાં રૂપાલા અને માંડવીયા હતા. પાટીદાર નેતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
સાથોસાથ ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ હાઈકમાન્ડ દ્વારા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી શકે છે. દિલ્હીમાં મળેલી પાર્લીમેન્ટરી બોર્ડની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આ મામલે અરૂણ જેટલી સરોજ પાંડે નિરીક્ષક કરશે. આગામી 2થી 3 દિવસમાં વિધાયક મંડળની બેઠક યોજાશે. ત્યારબાદ ભાજપ દ્વારા વિધાયક મંડળની જાહેરાત કરવામાં આવશે.