ગુજરાત સરકારે IAS કેડરના સચિવ કક્ષાના 4 અધિકારીઓની સેક્રેટરી ઓફ ધી ડિસ્ટ્રીક્ટ એટલે કે પ્રભારી સચિવ તરીકે નીમણૂંક કરી છે.
ગુજરાતના આ ચાર IASને બનાવાયા પ્રબારી સચિવ
વિજય નેહરા પણ સામેલ
જાણો કોને સોંપાયો કયો ચાર્જ
અમદવાદના મનપા કમિશનર રહી ચૂકેલા અને દેશવિદેશમાં અમદાવાદમાં કોવિડની પરિસ્થિતિને લઈને હાહાકાર મચાવી ચૂકેલા IAS અધિકારી વિજય નેહરા સહિત ચાર સચિવ કક્ષાના અધિકારીઓને પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
શું રહેશે તેમનું કામ?
ગુજરાત સરકારે IAS કેડરના સચિવ કક્ષાના 4 અધિકારીઓની સેક્રેટરી ઓફ ધી ડિસ્ટ્રીક્ટ એટલે કે પ્રભારી સચિવ તરીકે નીમણૂંક કરી છે. આ ચારેય પ્રભારી સચિવ તરીકે જિલ્લાઓની સમગ્ર વહિવટી કામગીરી ઉપર સંકલન અને દેખરેખ રાખશે.
કોને સોંપાયો કઈ જવાબદારી?
મેરીટાઈમ બોર્ડના CEO અંવતિકાસિંગ આલોકને આણંદમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
ગ્રામ્ય વિકાસ સચિવ વિજય નેહરાને બનાસકાંઠામાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
સહકાર સચિવ એન બી ઉપાધ્યાયને જામનગરમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બનીવાલને પંચમાહલમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.