કોરોના મહામારીએ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ખુબ નિંદનીય ઘટના લોકોની સામે આવી છે. રાજકીય સુત્રોની માહિતી મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપ અને વહીવટી તંત્ર વચ્ચે ખુબ મોટી અંહાકારીની લડાઈ થઈ હતી. જોકે આ ઝઘડો વિજય રૂપાણી સુધી પહોંચતા તેમણે ઠારે પાડ્યો હતો અને સાથે રહી કામ કરવા કહ્યું હતું.
મેયરે બિજલ બહેનેકહ્યું કમિશનર વિજય નેહરા અમને ગાંઠતા નથી
સંકટના સમયમાં ઝઘડો જોઈ મોવડી મંડળ ચોંકી ગ્યું, વિજયભાઈએ સમજાવ્યા
રૂપાણીએ શાસક પક્ષને કહ્યું વિજય નેહરા અહીં જ રહેવાના છે
ભાજપ શાસક પક્ષ અને કમિશનર આમને સામને
જ્યારથી કોરોનાની મહામારી દહેશત અમદાવાદમાં શરૂ થઈ ત્યારથી શાસક પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચેનો ગજાગ્રહ ચરમસીમાએ પહોંચ્યો છે. શાસક પક્ષની ફરિયાદ છે કે કમિશનર વિજય નેહરા અને વહીવટી પાંખ અમારી કોઈ વાત માનતું નથી અને ગાંઠતું પણ નથી. જ્યારે વહીવટી તંત્રની ફરિયાદ છે કે શાસક પક્ષના નેતાઓ કામ કરવાને બદલે પોતાનાં બંગલાઓમાં બેઠા છે અને અમારા કામની ઉઘરાણી કરે છે.
મ્યુનિ. નેતાઓએ બિજલ બહેનને ફરિયાદ કરી
જો કે ગત સપ્તાહમાં મેયર બિજલ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી શાસક પક્ષના નેતાઓની બેઠકમાં ફરિયાદ ઉઠી હતી કે વિજય નેહરા કોઈ પણ કામની જાણ કરતાં નથી અને જવાબ પણ આપતાં નથી. ત્યાર બાદ મેયરે મીડિયા સમક્ષ પણ આ રોષ ઠાલવ્યો હતો. કહ્યું કે કમિશનર અમને ગાંઠતા નથી અને પ્રજા અમને પુછે છે કરવું શું?
નહેરા મેયરે બોલાવેલી બેઠકમાં હાજર જ ના રહ્યા
મેયરના આ આક્ષેપ બાદ તેમને બોલાવેલી એક બેઠકમાં ખુદ કમિશનર વિજય નેહરા હાજર રહ્યા ન હોતા. જો કે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને અહંકારની લડાઈ એટલી ઉગ્ર બની કે ઝઘડો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો હતો. રૂપાણીએ બંનેને સમજાવી કહ્યું કે સાથે રહી કામ કરો, આવો કપરો સમય લડાઈનો નથી. વિજયભાઈ ઠપકો આપતાં મેયર અને કમિશનરને કહ્યું કે સાસુ-વહુની જેમ ઝઘડવાનું બંધ કરો અને ભેગા મળી કામ કરો. આ ઉપરાંત વિજય રૂપાણી શાસક પક્ષને કહ્યું કે કમિશનર વિજય નેહરા અહીં જ રહેવાના છે