સુરતમાં કરોડોની સંપત્તિનો ત્યાગ થશે. સુરતમાં હીરાના વેપારી પરિવાર સાથે દીક્ષા લેશે. સુરતના વેપારી વિજય મહેતા પત્ની અને પુત્રીઓ સાથે દીક્ષા લેશે. આગામી 27 જાન્યુઆરીએ સમગ્ર પરિવાર કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે. કરોડોની સંપત્તિનો ઉપયોગ ગરીબોને દાન આપવામાં અને પાંજરાપોળમાં ઉપયોગ કરાશે.
વિજય મહેતા પત્ની અને પુત્રીઓ સાથે દીક્ષા લેશે
અગાઉ પણ એક પુત્રીએ લીધી હતી દીક્ષા
કરોડોની સંપત્તિ છોડી પરિવાર સંયમના માર્ગે
હીરાના વેપારી વિજય મહેતા પોતાની તમામ સંપત્તિનો ત્યાગ કરીને પોતાની પત્ની અને બે પુત્રીઓ સાથે સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે. તેઓ ચારેય 29 જાન્યુઆરીએ સમગ્ર પરિવાર સાથે સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણસત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં દીક્ષા લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વિજય મહેતાની એક પુત્રીએ દીક્ષા લીધી હતી. બહેને દીક્ષા લીધા બાદ હવે તેની બે બહેનોએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં 12માં ધોરણમાં 70 ટકા મેળવી ચૂકેલી દૃષ્ટિ જે સી.એ. બનવા માંગતી હતી. પરંતુ તેની બહેનના ચહેરા પર આનંદ જોયા બાદ લાગ્યું કે સી.એ. બન્યા પછી પણ આનંદ મેળવી શકશે નહીં. જેને લઇને તેણે પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બીજી 14 વર્ષની બહેન આંગીએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
ત્યારે સુરતના એક જ પરિવારના ચાર સભ્યો દીક્ષા લેશે. આમ એક જ પરિવારના કુલ 5 સભ્યોએ સંયમનો માર્ગ અપનાવ્યો છે. આ દીક્ષા સમારોહને લઇને સમાજના લોકોમાં ઉત્સાહ છે.