ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત છે. એઝબેસ્ટનમાં 5 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી સ્પર્ધા ચાલુ છે. જ્યાં ભારતીય ટીમ તરફથી એકલા વિરાટ કોહલીએ પ્રભુત્વ જમાવી રાખ્યું છે. ત્રીજા દિવસે રમત પૂરી થઇ ગઇ છે. સ્કોર 110 પર 5 છે એટલે અડધી ભારતીય ટીમ પેવેલિયવ પરત ફરી છે.
હવે બાકી રહેલા 2 દિવસમાં ભારતને જીત માટે 84 રન કરવાના છે. વિરાટ કહોલી 43 તો દિનેશ કાર્તિક 18 રન બનાવીને એનો સાથ આપી રહ્યા છે. આ વચ્ચે એક એવી માહિતી મળે છે જેને જાણતા જ તમે ચોંકી ઊઠશો.
ભારતના ભાગેડું વ્યવસાયી વિજય માલ્યા હાલમાં લંડનમાં છે સૂત્રોનું માનીએ તો ભાગેડું માલ્યાએ કેપ્ટન વિરાટ કોહલીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિરાટ કોહલી વિજય માલ્યાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન છે. બેંકો પાસેથી લીધેલી 9 હજાર કરોડની લોન નહીં ચુકવવાના મામલે કાનૂની કાર્યવાહીથી બચવા માટે ઇંગ્લેન્ડમાં રહી રહ્યા છે.એ આરસીબી ચેરમેન પદથી રાજીનામું આપી ચુક્યા છે.
વિજય માલ્યાએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મળવા માટે સમય માંગ્યો. ખાનગી મીડિયા પ્રમાણે ભારત સરકારના માલ્યાને લઇને હાલના વલણને જોતા ટીમ મેનેજમેન્ટે બંનેની મીટિંગને સ્પષ્ટપણે ના પાડી દીધી. માલ્યા તરફથી ઘણી વખત ભલામણ કરવામાં આવી. કેન્દ્ર સરકારને જ્યારે આ બાબતને જાણ થઇ તો માલ્યા સાથે મુલાકાત માટે ના પાડી દીધી.