સંકટમાં ફસાયેલા લિકર કિંગ વિજય માલ્યાએ પોતાની બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન પર સાર્વજનિક ક્ષેત્રના ભારતીય બેંકોના 100 ટકા દેવુ ચૂકવવા પોતાની રજૂઆતને ફરી જણાવી છે. વિજય માલ્યાએ સોમવારે સોશિયલ મીડિયા પર જેટ એરવેઝ બંધ થવા પર દુઃખ વ્યક્ત કરતા આ રજૂઆત કરી હતી.
બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થયેલા વિજય માલ્યાએ ટ્વીટ કરીને બેંકોનું દેવુ ચૂકવવાની તૈયારી બતાવી છે. વિજય માલ્યાએ ટ્વીટ કરીને ભારતીય બેંકોનું દેવુ ચુકવવાની વાત કરી છે. આ સાથે સાથે વિજય માલ્યાએ જેટ એરવેઝ ઠપ થવા અંગે દુઃખ પણ જાહેર કર્યુ. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ મામલે ભારતીય એજન્સીઓ શોધખોળ કરી રહી છે.
ભારતે પણ બ્રિટન પાસે માલ્યાના પ્રત્યાર્પણને લઈને કાર્યવાહી કરી રહયું છે. આ કાર્યવાહીને માલ્યાએ કોર્ટમાં પડકારી છે. જો કે વિજય માલ્યાએ પોતાની બંધ થયેલી એરલાઈન્સ અને જેટ એરવેઝની તુલના કરતા ટ્વીટ કરીને કહ્યું છે કે, આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી દેશની મુખ્ય એરલાઈન્સ જેટ એરવેઝની સેવા બંધ થઈ છે.
કિંગફિશર સહિત અનેક ભારતીય વિમાની કંપનીઓની સેવા બંધ થઈ છે. જેટ એરવેઝ બંધ થશે એવું કોઈએ પહેલા વિચાર્યુ પણ ન હતું. આ એક વ્યવસાયિક નિષ્ફળતા છે. પરંતુ સીબીઆઈ અને ઈડી મારા પર ગુનાહિત આરોપો લગાવે છે. જ્યારે મેં 100 ટકા દેવુ ચુકવવા માટે તૈયારી બતાવી છે. પરંતુ બેંક આમ કરવા માટે તૈયાર નથી. ફક્ત મારી સાથે જ કેમ આવું કરવામાં આવ્યું.
આમ સંકટમાં ફસાયેલા લિકર કિંગ વિજય માલ્યાએ પોતાની બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન પર સાર્વજનિક ક્ષેત્રના ભારતીય બેંકોના 100 ટકા દેવુ ચૂકવવા પોતાની રજૂઆતને ફરી જણાવી છે. વિજય માલ્યાએ સોમવારે સોશિયલ મીડિયા પર જેટ એરવેઝ બંધ થવા પર દુઃખ વ્યક્ત કરતા આ રજૂઆત કરી હતી.