ભાગેડુ દારુના વેપારી વિજય માલ્યાએ ફરી એકવાર કહ્યું છે કે તે ભારતીય બેન્કોનું તમામ દેવું ચૂકવી દેવા તૈયાર છે. બેન્કોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા લોન ચૂકવવા, મની લોન્ડ્રિંગ મામલામાં બ્રિટેનમાં કેસનો સામનો કરી રહેલા વિજય માલ્યાએ ટ્વિટ કરી આ ઓફર આપી છે. વિજય માલ્યા આ પહેલા પણ આવી રજૂઆત કરી ચૂક્યા છે.
વિજય માલ્યાએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને લોકસભામાં આપેલા એક નિવેદનનો હવાલો આપી 100 ટકા સેટલમેન્ટની રજૂઆત કરી છે. માલ્યા હાલ જામીન પર છે. કિંગફિશર એરલાઇન્સના પૂર્વ પ્રમુખ વિજય માલ્યાએ ટ્વિટ કરી કહ્યું, 'નાણા મંત્રીએ કહ્યું છે કે દેશમાં વેપારમાં નિષ્ફળતાને નીચી નજરે ન જોવું જોઇએ. તેથી વિપરીત એમને આઇબીસીની ભાવના અનુરુપ એક સમ્માનજનક સમાધાન આપવું જોઇએ. આ ભાવનાના અનુરુપ હું મારી તરફથી 10 ટકા ચૂકવણીની રજૂઆત કરું છું.'
Business failures in this country should not be tabooed, or looked down. On the contrary, we should give an honourable exit or resolution to the problem in letter and spirit of the IBC. FInance Minister’s reported statement. In this spirit please accept my 100 % settlement offer.
લોકસભામાં ગત ગુરુવારે ઇન્સોલ્વેન્સી અને બેન્કરપ્શી કોડ (IBC) સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણને કેફે કોફી ડેના સંસ્થાપક વી.જી. સિદ્ધાર્થના મોતના સંદર્ભમાં આ વાત કરી હતી. વિજય માલ્યાએ આ પહેલા પણ ટ્વીટ કરી સીસીડીના સિધ્ધાર્થથી પોતાની સ્થિતિની તુલના કરી હતી. સિદ્ધાર્થના એક કથિત લેટરમાં કહેવામાં આવ્યું હતું કે તેમને આયકર વિભાગના અધિકારી હેરાન કરી રહ્યા છે. સિદ્ધાર્થે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેમનો મૃતદેહ મેંગ્લોર પાસેની નેત્રાવતી નદીમાંથી મળ્યું હતું.
આ બનાવ બાદ માલ્યાએ ટ્વિટ કરી કહ્યું હતું, 'સરકારી એજન્સીઓ અને બેન્ક કોઇને પણ હતાશ કરી શકે છે. જુઓ તે મારી સાથે શું કરી રહ્યા છે, જ્યારે મેં પહેલા જ આખું દેવું ચૂકવવાની રજૂઆત કરી ચૂક્યો છું.' આ પહેલા જુલાઇ મહીનામાં માલ્યાને લંડનની કોર્ટમાં મોટી રાહત મળી. ભારત પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધ માલ્યાની અપીલને લંડન હાઇકોર્ટે સ્વીકાર કરી છે.