મહેસાણાના છઠિયારડામાં સમાધિની જાહેરાત બાદ ભક્તોની માફી માગના મહંતની પોલ ખુલી, જો પોલીસ મહંત વિરુદ્ધ ગુનો નોંધશે નહીં તો હું ફરિયાદી બનીશેઃ જયંત પંડ્યા
મહેસાણામાં મહંત દ્વારા સમાધિની જાહેરાતનો મામલો
મહંતનો દાવો ખોટો સાબિત થયા બાદ તંત્ર એકશનમાં
આશ્રમના આગળના ભાગની જમીનનું છે ગેરકાયદે દબાણ
મહેસાણાના છઠિયારડા ગામે ઢોંગી મહંતની સમાધિ લેવાની જાહેરાતનો મામલે હવે નાટકનો અંત આવી ગયો છે. ઢોંગી મહંત સપ્તસુલ મહારાજ દ્વારા સમાધિ લેવાની જાહેરાતના ધતિંગ પુરા થયા છે. મહંતે હજારો ભક્તોની આસ્થા સાથે ચેડા કર્યા છે. જો કે, મહંતે પણ ભક્તો અને મીડિયા સામે માફી માંગી છે.
કોરોના વચ્ચે હજારોની સંખ્યામાં લોકોને ભેગા કર્યા અને નિયમોનો ભંગ પણ કર્યો હતો. તો બીજી તરફ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પોલીસ કાર્યવાહીની માગણી કરી છે. જયંત પંડ્યાએ કહ્યું, કે મહંત સમાધિ નહીં લે તેવી અમે ચેલેન્જ કરી હતી. જેથી ઢોંગી મહંત સામે કાર્યવાહી થવી જોઈએ અને જો પોલીસ ગુનો નોંધશે નહીં તો હું ફરિયાદી બનીશે.
મહેસાણાના છઠિયારડામાં સમાધિની જાહેરાત બાદ ભક્તોની માફી માગના મહંતની પોલ છતી થઈ છે. સમાધિ લેવા મુદ્દે મહંતનો દાવો ખોટો સાબિત થયો છે. જે બાદ સરકારી તંત્ર એકશનમાં આવ્યું છે. આશ્રમના આગળના ભાગની જમીનનું ગેરકાયદે દબાણ કરાયું છે. આ મુદ્દે ગ્રામપંચાયતે આશ્રમને નોટિસ આપશે. બીજી તરફ મહંત સપ્તશુલ મહારાજ સામે ભીડ એકઠી કરવાના મુદ્દે કાર્યવાહી થઈ શકે છે. કોરોનાકાળમાં ભીડ એકઠી કરવાના મુદ્દે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. છેલ્લા ત્રણ દિવસથી છઠિયારડા સ્થિત આશ્રમે ભીડ એકઠી થતી હતી.
શું છે સમગ્ર મામલો
મહેસાણાના છઠિયારડાના મહંત સપ્તસુલ દેહત્યાગની જાહેરાત કરી હતી. 4 એપ્રિલના દિવસે રાત્રીના 10 કલાકે દેહત્યાગ કરવાની જાહેરાત કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો આશ્રમ પાસે એકઠા થયા છે. તો આશ્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ મહંત સમાધિ લઈ શક્યા નહોતા.
દેહ ત્યાગ કરી શક્યા નહીં તો, માફી માગી
મહેસાણાના કબીરધામ મહંત સપ્તસુલસમાધી લઈ શક્યા નહીં. સમાધિ અવસ્થામાં મહંત દેહત્યાગ કરી શક્યા નહીં. જે બાદ સમાધિમાંથી ઉઠીને મહંત દ્વારા અન્ય રીતે સમાધિ આપવાની માગણી કરાઈ હતી. વારંવાર મંહત દ્વારા કહેવાયું કે, મને સમાધિ આપો.. છેલ્લા ૧૫ વર્ષથી મને કુદરતે બધું આપ્યું છે. ભક્તો આજે હું માફી માંગુ છું. હું સમાધિમાં જઈશે તેવો મને કુદરત પર વિશ્વાસ હતો. હું અત્યારે પણ સમાધિ લેવા તૈયાર છું. આજથી હું ભક્તિ છોડું છું. કુદરત મારી વાત સ્વીકારી નહીં. આજના બનાવથી મને ખૂબ દુઃખ થયું છે. ગમે તેમ કરી મને સમાધિ આપો તેવી મહંતે અપીલ કરી હતી.