ઘરણા કરનાર ઉમેદવારોની માંગ છે કે અત્યારે સરકારે જે જગ્યાઓ પડી છે તે ખૂબ જ ઓછી છે, 19000ની ઘટ સામે સરકારે માત્ર 3300ની પાડી છે જાહેરાત
વિદ્યાસહાયકના ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણાં
TETમાં જગ્યા વધારવામાં આવે તેવી માંગ
500 જેટલા ઉમેદવારોએ ગાંધીનગરમાં શરૂ કર્યા ધરણાં
3300 વિદ્યાસહાયકની ભરતીમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી પ્રક્રિયાની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વિદ્યાસહાયકની ભરતી માટે લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા બેરોજગાર ઉમેદવારોની માંગ છે કે 19000ની ઘટ સામે સરકારે માત્ર 3300ની ભરતી બહાર પાડી છે તે તદ્દન ઓછી છે.
ગાંધીનગરમાં ધરણા પર બેઠા 500 વિદ્યાથીઑ, જુઓ શું છે માંગ?
વિદ્યાસહાયકના ઉમેદવારોએના ગાંધીનગર ખાતે TETમાં જગ્યા વધારવામાં આવે તેવી માંગ સાથે ધરણા શરૂ કર્યા છે. 500 જેટલા ઉમેદવારોએ 19000ની ઘટ સામે બહાર પડાયેલી 3300 જગ્યાની ભરતીનો વિરોધ કર્યો છે. અને અંદાજિત 500 જેટલા ઉમેદવારોએ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરી ધરણાં શરૂ કર્યા છે. અને માંગ કરી છે કે સરકાર જગ્યા નહીં વધારે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા ઉમેદવારો મક્કમ છે. તેમની માગણી મુજબ અત્યારે સરકારે જે જગ્યાઓ પડી છે તે ખૂબ જ ઓછી છે. છેલ્લા 3 વર્ષથી વિદ્યાસહાયકની ભરતી માટે આ ઉમેદવારો ભટકી રહ્યા છે ત્યારે હવે ભરતી આવી છે જે જૂજ માત્ર છે.
19000ની ઘટ સામે સરકારે માત્ર 3300ની પાડી છે જાહેરાત
આપને જણાવી દઈએ કે RTIમાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ધો.1થી8માં 19 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જેની સામે ટેટ-1, 2 પાસ 1 લાખ 80 હજાર ઉમેદવારો રાહ જૂએ છે. હાલ નવી માત્ર 3300 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.