ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે ત્યારે ભાજપે જનતાને રીઝવવા માટે કવાયત હાથ ધરી છે. મોદી સરકારના 5 મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા દ્વારા જનતા સુધી પહોંચશે
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં
સોમવારથી ભાજપનો મોટો પ્લાન
5 કેન્દ્રીય મંત્રીઓ ફરી વળશે ગુજરાતમાં
મોદી મંત્રીમંડળમાં ગુજરાતના નેતાઓનો દબદબો જોવા મળ્યા હવે સોમવારથી 5 કેન્દ્રીય મંત્રી માદરે વતન આવવાના છે. 2022ની ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે ત્યારે આ પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે.
5 મંત્રીઓને સોંપાઈ ખાસ જવાબદારી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન આવી રહ્યા છે. આગામી 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીયમંત્રીઓ ગુજરાત આવશે. ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મંત્રીઓને જિલ્લાવાઈઝ જવાબદારી અપાશે. આ હેઠળ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16થી 21 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરી છે ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા નિયુક્ત પામેલા સંગઠન મંત્રી ગુજરાત મંગળવારે ગુજરાત આવી શકે છે તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ મોવડીમંડળ સાથે બેઠક યોજશે તેવું પણ મનાઈ રહ્યું છે.
ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
છેલ્લા દસ વર્ષથી ગુજરાતસંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયાને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.