આજકાલ દરેક વ્યક્તિને વિદેશ જવાની ઇચ્છા હોય છે. એ ફરવા માટે હોય કે નોકરી કે ભણવા માટે અથવા હંમેશા માટે ત્યાં વ્યવસાય સ્થાપિત કરવાના ઉદ્દેશથી જાય. પરંતુ તમામનું સપનું હોય છે કે એ એમના જીવનમાં એક વખત વિદેશ જરૂર જાય. વ્યક્તિઓની આ ઇચ્છા પાછળ એક કારણ વ્યથિત છે કે આ દેશોની સુંદરતા અને અન્ય સુવિધાઓ જે ભારતીય નાગરિકોને વિદેશ તરફ આકર્ષિત કરે છે.
વિદેશ જવાને લઇને જ્યોતિષોનું માનવું છે કે કુંડળીમાં યોગના આધાર પર વ્યક્તિના વિદેશ જવાના યોગ બને છે. ત્યારે એક જ્યોતિષના જણાવ્યા અનુસાર કુંડળીમાં વિદેશ યાત્રાના યોગ ના હોવા પર પણ તમે વિદેશ જઇ શકો છો. જી હાં જો તમે વિદેશ જવા માટે ઘણી વખત પ્રયત્ન કરી ચુક્યા છો અને યોગ ટળી જાય છે અથવા યોગ નથી તો તમે અખંડ લક્ષ્મી સાધનાથી વિદેશ જવાના યોગ બનાવી શકો છો.
અખંડ લક્ષ્મી સાધના પ્રયોગ તમામ પ્રકારની સફળતા ઉન્નતિ ભાગ્યોદય અને વિશેષ રૂપથી વિદેશ યાત્રા જેવી ઇચ્છા પૂર્તિ માટે કરવામાં આવે છે. અકંડ લક્ષ્મી સાધનાથી તમારી વિદેશ યાત્રા પણ સુખદાયી અને સરળ રહેશે. આ પ્રયોગ માત્ર 3 દિવસનો છે.
તમે આ સાધનાનો બુધવારના દિવસે પ્રારંભ કરી શકો છો. દરરોજ સવારે ઊઠીને દૈનિક કાર્યોથી નિવૃત થઇને શુદ્ધ થઇ જાવ. ત્યારબાદ તમે પૂર્વ દિશામાં કોઇ પાત્રમાં અખંડ લક્ષ્મી યંત્ર રાખો. પાત્રમાં યંત્ર રાખ્યા બાદ યંત્રને દૂધથી શુદ્ધ કરો અને એની પર કેસરનું તિલક કરો. સ્ફટિકની માળાથી નિમ્ન મંત્રનો જાપ કરો.આ મંત્રની દરરોજ 11 માળાઓનો જાપ કરવો ફરજીયાત છે. 3 દિવસ સુધી 11 માળા ફેરવવાથી મંત્ર અને યંત્ર બંને સિદ્ધ થઇ જશે. તમે યંત્રની સામે આ મંત્રનો જાપ કરો ॐ હીં અષ્ટલક્ષ્મ્યૈ નમ:.