કોરોનાની સામે અત્યારે એક માત્ર હથિયાર છે કોરોનાની વેક્સિન.. શરૂઆતમાં વેક્સિન અંગે અનેક માન્યતાઓ અને અફવાઓ ફેલાઈ હતી કે વેક્સિન કારગર નથી. પરંતુ આ વાત ખરેખર અફવા છે.
શું તમે કોરોનાની વેક્સિન લીધી છે?
ન લીધી હોય તો વેક્સિન લો
કોરોના સામે સુરક્ષા કવચ આપે છે વેક્સિન
અત્યારે વેક્સિન એ કોરોના સામે સુરક્ષા કવચ છે. જો તમે વેક્સિન લીધી હશે અને જો કોરોના સંક્રમિત થયા તો તે સમયે દર્દીને હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે. હોમ ક્વોરન્ટાઈનમાં જ દર્દી દવા લઈને સ્વસ્થ થઈ શકે છે.
વેક્સિન લેવાના શું છે ફાયદા ?
આપને જણાવી દઇએ કે, રસી લીધેલા વ્યક્તિને ફેફસામાં પણ ઓછું નુકસાન થાય છે. જ્યારે વેક્સિન ન લીધી હોય તેવા દર્દીના ફેફસા સુધી કોરોના સરળતાથી પ્રવેશી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થયા છે અને સ્થિતિ એટલી હદે વણસે છે કે દર્દીને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવા પડે છે.
કોરોનાથી બચવા માટે વેક્સિન એકમાત્ર ઉપાય
દર્દીના ફેફસાને કોરોના ઘણું નુકસાન કરે છે અને દર્દીના બચવાના ચાન્સીસ પણ ઓછા રહે છે. કોરોનાથી બચવા માટે વેક્સિન હાલ એક માત્ર ઉપાય છે.. અને દેશમાં ચાલી રહેલા બીજા વેવ સામે લડવા માટે વેક્સિન તમામ લોકોએ લેવી જોઈએ. આ મામલે પેથોલોજીસ્ટ સપના પટેલ સાથે ચર્ચા કરીશું કે આખરે વેક્સિન લીધા બાદ કોરોના સામે કેવી રીતે રક્ષણ મળે છે.