પ્રધાનમંત્રી મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું.. સાથે-સાથે પ્રધાનમંત્રીએ આ શૉપિંગ ફેસ્ટિવલની અંદરથી ખરીદી પણ કરી છે. પ્રધાનમંત્રીએ ફેસ્ટિવલમાંથી ખાદીમાંથી બનેલી મોદી-જેકેટ કોટીની ખરીદી કરી છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ અમદાવાદના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલની મુલાકાલ લઈને વિવિધ શોપનું નિરિક્ષણ કર્યું હતું અને જુદા જુદા શોપમાં પ્રધાનમંત્રીએ વિવિધ વસ્તુઓ નિહાળી હતી. પ્રધાનમંત્રીએ શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ધાટન સમયે જણાવ્યું હતું કે અમદાવાદ ઘણુ બદલાઈ ગયું છે. આજે અમદાવાદમાં ખરીદીનો માહોલ ઉભો થયો છે અને અમદાવાદીઓ ખરીદી કરતા થયા છે.
આજે બપોરે પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતાં. જ્યાંથી ગાંધીનગર પહોંચીને પીએમ મોદીએ ટ્રેડ શોનુ ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યાર બાદ પીએમ મોદીએ પેવેલિયનની મુલાકાત લીધી હતી. ટ્રેડ શોમાં અલગ અલગ કલાકૃતિઓની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેડ શોમાં 100થી વધુ દેશોના 300 જેટલા ડેલિગેટ્સ પહોંચ્યા છે. પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ત્યાર બાદ કાર્યક્રમ મુજબ તેઓ SVP હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમના હસ્તે રાજ્યની સૌથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ SVP હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 700 કરોડના ખર્ચે તૈયાર થયેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવ્યા. જ્યા હેલિપેડ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું હતું. હોસ્પિટલની છત પર પ્રધાનમંત્રીએ નિરીક્ષણ કર્યા બાદ હોસ્પિટલની વિઝિટર બુકમાં નોંધ લખી હતી.