ઝારખંડના સાહિબગંજથી બિહાર વચ્ચે ચાલતી EMU પેસેન્જર ટ્રેનમાં શખ્સોએ એક આખલાને ચઢાવી દીધો હતો. સીટ સાથે બાંધીને લોકોને કહ્યું કે તેને સાહિબગંજમાં ઉતારી દેજો. ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળ્યો આખલો
સાહિબગંજથી બિહાર જતી હતી ટ્રેન
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
તમે ટ્રેનમાં ઘાંસ, દૂધ, સામાન જેવી વસ્તુઓ લઈ જતા તો જોયું હશે, પરંતુ શું તમે ક્યારેય આખલાને ટ્રેનની સવારી કરતા જોયો છે? જો નહીં તો હવે આ વીડિયોમાં જોઈ લો. હકીકતે ઝારખંડના સાહિબગંજથી બિહારની વચ્ચે ચાલતી ઈએમયુ પેસેન્જર ટ્રેનમાં એક સાંઢ મુસાફરી કરતા જોવા મળી રહ્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યાત્રીઓનું કહેવું છે કે મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર 10-12 લોકોએ આખલાને ટ્રેનની બગીમાં ચઢાની દીધો અને લોકોને કહ્યું કે તેને સાહિબગંજમાં નીચે ઉતારી દેજો.
લે આલે! લોકલ ટ્રેનમાં બળદને બાંધીને જતાં રહ્યા લોકો! સોશ્યલ મીડિયામાં VIDEO વાયરલ... pic.twitter.com/tBwgWMJhFb
શું છે સમગ્ર મામલો?
સાહિબગંજથી પેસેન્જર ટ્રેન નીકળી રહી હતી. દરમિયાન મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર 10-12 લોકો આવ્યા હતા અને આખલાને ટ્રેનમાં ચડાવી દીધા હતા. આ લોકોએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો અને ચાલ્યા ગયા. આ પછી કેટલાક મુસાફરો કોચ છોડીને બીજી બોગીમાં જતા રહ્યા. ત્યાં જ કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
લોકોમાં રોષ
કહેવામાં આવી રહ્યું છે કે આખલો સ્ટેશન પર ફરતો હતો. જેને તોફાની તત્વો દ્વારા ટ્રેનની અંદર બાંધી દેવામાં આવ્યો હતો. તેઓએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો. આખલાને જોઈને કોચમાં રહેલા લોકો ડરી ગયા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
તેમનું કહેવું છે કે આવી ઘટના ફરીથી ન બને તે માટે પ્રશાસનને સતર્ક રહેવાની જરૂર છે. મુસાફરોનું કહેવું છે કે જો આખલાએ તોફાન કર્યું હોત તો મોટી ઘટના બની શકી હોત. જોકે સદનસીબે આગળના સ્ટેશન પર મુસાફરો અને સ્થાનિક લોકોએ ભેગા મળીને બળદને નીચે ઉતાર્યો હતો.