શ્રીકૃષ્ણ સંપુર્ણ પુરુષ કેમ છે એ વાતને સફિન હસને દાખલા સાથે સમજાવી, સનાતન ધર્મ વિશે ઉંડાણપૂર્વકના જ્ઞાનથી શ્રોતા મંત્રમુગ્ધ
ભાવનગરના ASP સફિન હસનનું ભગવદ્ ગીતા પરનું વક્તવ્ય વાયરલ
ભગવાન શ્રીકૃષ્ણ-અર્જુન-કર્ણ વિશેની સફિન હસનની વાત વાયરલ
ભગવદ્ ગીતાનો કર્મ યોગ પણ વિસ્તારથી સમજાવ્યો
IPS અધિકારી સફિન હસનનું ભગવદ્ ગીતા પર વક્તવ્ય વાયરલ થયું છે.ભાવનગરના ASP સફિન હસનનું ભગવાન શ્રીકૃષ્ણ-અર્જુન-કર્ણ વિશેનું અદભૂત ઊંડાણપૂર્વક વક્તવ્ય આપ્યું હતું.ASP સફિન હસનના ભગવદ્ ગીતા પરના જ્ઞાનથી લોકો આફરીન થયા છે.ભાવનગરમાં સંતો-મહંતોની હાજરીમાં સંમેલન યોજાયું હતું.
થોડા દિવસ પહેલા યોજાયેલા સંમેલનમાં સફિન હસને વક્તવ્ય આપ્યું હતું.જેમાં શ્રીકૃષ્ણ સંપુર્ણ પુરુષ કેમ છે એ વાતને સફિન હસને દાખલા સાથે સમજાવી હતી.સનાતન ધર્મ વિશે પણ સફિન હસનનું ઉંડાણપૂર્વકના જ્ઞાનથી શ્રોતા મંત્રમુગ્ધ થયાહતા.સફિન હસને ભગવદ્ ગીતાનો કર્મ યોગ પણ વિસ્તારથી સમજાવ્યો હતો.સફિન હસનના ભગવદ્ ગીતા પરના વર્ણનથી સંતો પણ અભિભૂત થયા હતા
કોણ છે સફિન હસન?
સફિન હસન ગુજરાત કેડરના IPS અધિકારી
હાલમાં સફિન હસન ભાવનગરના ASP
સફિન હસન બનાસકાંઠાના પાલનપુરના કણોદર ગામના
સામાન્ય પરિવારમાંથી આવે છે સફિન હસન
ભારતમાં સૌથી નાની ઉંમરના IPS બન્યા છે સફિન હસન
માત્ર 24 વર્ષની નાની ઉંમરે સફિન હસને UPSC પાસ કરી હતી
સફિન હસનના માતા-પિતાએ સામાન્ય નોકરી કરીને ભણતર આપ્યું હતું
સફિન હસને જુઓ શું કહ્યું?
વક્તવ્ય દરમિયાન સફિન હસને કહ્યું કે ઘર્મ અને અધર્મની વચ્ચે જ્યારે અર્જુન પૂછે છે કે તો હું આ ઘર્મના રસ્તે જઈને પરમાત્માને કઈ રીતે પામી શકું ત્યારે આપણને ભગવાન શ્રી કૃષ્ણ 3 યોગ આપે છે. પહેલો સાંખ્ય યોગ, 2જો કર્મ યોગ, 3 ભક્તિ યોગ. આ ત્રણ યોગ શું છે? જયારે આપણને એ વાતની ખબર પડે છે કે આપણે મનુષ્ય નથી આપણો આ દેહ નથી. પંરતુ આપણે એ દેહમાં બિરાજમાન એક આત્મા છીએ. આત્માએ પરમાત્માનો અંશ છે આજે જ્ઞાન છે. આ હિકકતનો આપણે જયારે સ્વીકાર કરી લઈએ છીએ ત્યારે ખરા અર્થમાં આપણે સાંખ્ય યોગને ઘારણ કર્યો તેમ કહી શકાય. આ યોગ શીખ્યા પછી ભગવાન કૃષ્ણ આપણને કર્મયોગ શીખવાડે છે. એમાં તે કહે છે કે આપણે આ દેહમાં રહીને સારા કર્મ કરવાના છે. પણ ફળની આશા રાખવાની નથી. આ વાક્ય આપણને કાર્ય અને કર્મના સિદ્ધાતને સમજાવે છે. આમ તેઓએ બહુ જ ધીરજ અને ઊંડાણ પૂર્વક ભગવત ગીતાને સમજી છે અને જે જ્ઞાન પીરસ્યું છે તેનાથી સૌ કઈ વક્તવ્યમાં લીન થઈ ગયા હતા.