અરવલ્લીના મેઘરજમાં વિદ્યાર્થીઓને આપવાનું દૂધ રસ્તા પર ફેંકી દેવાયું છે. સંજીવની યોજના માટેનું દુધ પાણીના કોઝ-વેમાં ફેકવામાં આવ્યું છે. ગરીબ વિદ્યાર્થી માટેનું દૂધ બગડી જતાં પાણીમાં ફેકવામાં આવ્યું છે. સમયસર શાળામાં દૂધ ન પહોંચતાં બગડ્યું હોવાનું સામે આવ્યુ છે. દૂધ બગડી જતાં સંજીવની યોજનામાં વહિવટી તંત્રની નિષ્ફળતા સામે આવી છે. આદિવાસી વિસ્તારમાં ગરીબ બાળકો માટે સંજીવની યોજના છે. આ પહેલા શુક્રવારે છોટાઉદેપુરમાં પણ દૂધ ફેંકી દેવું પડ્યું હતું. ત્યારે આજે અરવલ્લીમાં દૂધ ફેકવામાં આવતાં સંજીવની યોજના પર સવાલ થઈ રહ્યા છે.