દૂધ સંજીવની યોજના દ્વારા 7.54 લાખ બાળકોને પોષણ આપવાની વાતો કરી રહેલુ તંત્ર આ દૂધ ખરેખર પોષણક્ષણ છે કે નહીં તે કેમ તપાસતી નથી? આવા આક્ષેપ સાથે દૂધને પાણીમાં ફેંકી દેતો વીડિયો વાઈરલ થયો છે.
સરકારી યોજાનાઓની જાહેરાત ધામધૂમથી કરવામાં આવે છે પણ તેનું પાલન અને અને એ પછી એ યોજાનીની સમીક્ષા કરવામાં આવતી નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંજીવની યોજનાનું દૂધ પાણીમાં ઠાલવવામાં આવી રહ્યુ છે. આ દૂધ બગડી ગયુ હોવાનો આક્ષેપ કરીને દૂધને પાણી ફેંકી દેવાયુ હતુ.
ક્યાંનો છે વીડિયો?
વીડિયો અરવલ્લીના મેઘરજ તાલુકાનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. કોઝવેમાં દૂધની થેલીઓ નાખતો વીડિયો વાઈરલ થયો છે. ગઈ કાલે પણ છોટા ઉદેપુરમાં દૂધ બગડી જવાને કારણે ફેંકી દેવુ પડ્યુ હતુ. દૂધ બગડી જવાને કારણે ફેંકવુ પડે છે.
સંજીવની યોજનાનું દૂધ પાણીમાં કેમ
દૂધ ખરાબ હોવાના આક્ષેપ સાથે પાણીમાં દૂધ ફેંકી દેવામાં આવ્યુ છે. બાળકો આવુ દૂધ પીવે તો ઉલટુ શક્તિને બદલે માંદગીનો ભોગ બને એટલે આ દૂધને ફેંકી દેવુ જ બરાબર છે તંત્ર સામે તેવા સૂર ઉઠી રહ્યા છે
તંત્રની ઘોરબેદરકારી સામે આવી
સરકારી લાખો કરોડોના ચિતરામણા સરકારી ચોપડે બાળકોના પોષણ માટે કરી રહી છે પણ એ કરોડો ખરચવા છતાં બાળકોનું સ્વાસ્થય સુધરી રહ્યુ છે કે નહી કે પછી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે કે નહીં તે અંગે કોઈ પગલા લેવાતા નથી જેને પરિણામે શાળાના બાળકો સુધી પહોંચતી સામગ્રી ખરેખર આરોગ્ય પ્રદ છે કે નહીં તે પણ તપાસમાં ન લેવાતા દૂધ બગડેલુ હોવાને કારણે પાણીમાં રેડી દીધુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આરોગ્ય સુધારવાના દાવા કરાઈ રહી છે યોજના
આ યોજનાથી બાળકોમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક હલ કરી શકાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કુલ 4722 પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓના મળી 7.54 લાખ બાળકોને આવરી લેવામાં આવ્યાં.
શું છે દૂધ સંજીવની યોજના
આદિવાસી તાલુકાઓમાં વસતા બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી વિદ્યાર્થી બાળકોના પોષણસ્તરની કક્ષા ઉંચી લાવી તે સ્તરને સમૃદ્ધ બનાવવું.
બનાસકાંઠાથી શરૂ કરાઈ યોજના
2006-07માં બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાની 299 પ્રાથમિક શાળાઓ જેને 26 આશ્રમશાળાઓની 48109 આદિવાસી વિદ્યાર્થીઓ માટે અમલ કરવામાં આવ્યો.
આ યોજનામાં જિલ્લા કક્ષાની સરકારી ડેરીઓનો સાથ લેવામાં આવ્યો છે. 26 તાલુકા આવરી લેવાયા છે.
શું છે પ્રમાણમાપ
વિદ્યાર્થીઓને 200 ગ્રામ ડેરીનું ચોખ્ખુ દૂધ આપવામાં આવે છે જેમા 3 ટકા ફેટ 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને શાળામાં દરરોજ વિદ્યાર્થીઓને નિયમિત અપાય છે