સાધુ બનો પરંતુ સાચા અર્થમાં. ક્યારે નકલી સાધુ બનવું ભારે પડી શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નકલી સાધુ બનીને આવેલા ચાર શખ્સોને ભારે પડી ગયું. લોકોએ પકડી તો પાડ્યા, પરંતુ સાથે-સાથે દોરડાથી બાંધી મેથીપાક પણ ચખાડ્યો.
અરવલ્લીના નવાગામમાં નકલી સાધુ બનીને ગયેલા શખ્સોના રંગ-રુપને જોતા ગામ લોકોને શંકા ગઈ કે, આ કોઈ છોકરીઓનું અપહરણ કરનારા છે અને ચારે-ચારને પકડી પાડ્યા અને ત્યાર બાદ દોરડાથી બાંધી લાકડીથી મારમાર્યો.
અહીં સવાલો પણ અનેક ઉપજી રહ્યા છે. કારણ કે, ભલે તેઓ નકલી સાધુ બની ગયા હોઈ, પરંતુ ગામ લોકોએ તેને મારવાનો કોઈ હક્ક નથી. કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. જો શંકા જ હતી તો કેમ પોલીસને ફોન ન કર્યો. શું આવી રીતે કોઈ નિર્દોષ ઉપર તમે રોફ જતાવશો. આ તો એક પ્રકારે અત્યાચાર છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને અરવલ્લીનો માનવામાં આવી રહ્યો છે.