પંચમહાલ શહેરામાં જેઠા ભરવાડનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમા તેઓએ દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે અમે કેજરીવાલને પહેરેલા કપડે જ દિલ્લી પાછા મોકલીશું.
ભાજપે ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય નેતાઓને મેદાને ઉતાર્યા છે
શહેરા ખાતે જેપી નડ્ડાની સભા યોજાઈ
સભામાં જેઠા ભરવાડનું વિવાદિત નિવેદન આવ્યું સામે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે પંચમહાલના શહેરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની જનસભા યોજાઈ હતી. ત્યારે આ જનસભામાં જેઠા ભરવાડ દ્વારા વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં જેઠા ભરવાડે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેઝરીવાલ પર નિશાન તાક્યું છે અને કેજરીવાલને ખુલ્લો પડકાર ફેક્યો છે.
કેજરીવાલને પહેરેલ કપડે પાછા મોકલીશુંઃજેઠા ભરવાડ
પંચમહાલના શહેરા ખાતે આજે યોજાયેલી સભામાં જેઠા ભરવાડ દ્વારા વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્લીથી કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે. ત્યારે અને કેજરીવાલને પહેરેલ કપડે જ પાછા મોકલીશું અને ગુજરાતમાં ભાજપની જ સરકાર બનવાની છે અને કેજરીવાલને જેઠાભાઈ ભરવાડે ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલમાં હિમત હોય તો શહેરામાં આવીને ચૂંટણી લડી જુએ. કેજરીવાલ દેશના ભાગલા પાડવાવાળા છે. તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.
આવતીકાલથી વડાપ્રધાન ફરી ગુજરાત પ્રવાસે
PM મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી મધ્ય ગુજરાતમાં તારીખ 23 નવેમ્બરના રોજ મહેસાણા, દાહોદ અને વડોદરામાં જંગી જનસભાઓને સંબોધન કરશે જ્યારે 24 નવેમ્બરના રોજ PM મોદી પાલનપુર, દહેગામ અને અમદાવાદ ગ્રામ્યમાં જનસભા કરશે.