લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશના બાગપતથી ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ શામલીમાં ભાજપ વિરૂદ્ધ એક વિવાદિત નિવેદન આપ્યું અને ભાજપને જૂતાવાળી પાર્ટી ગણાવી દીધી.
ઉત્તરપ્રદેશના બાગપતથી ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા દિલ્લી સ્થિત ભાજપના કાર્યાલયની એક એક ઈટ ઉખાડી ફેંકવાની પણ ચીમકી આપી.
શામલીમાં જનસભાને સંબોધન દરમિયાન જયંત ચૌધરીએ કહ્યું કે, ભાજપે દિલ્લીમાં રૂપિયા પંદરસો કરોડના ખર્ચે એક આલીશાન કેન્દ્રીય કાર્યાલય બનાવ્યું છે. ગત વખતે અમે તોડ ફોડ કરવા નહોતા આવ્યા, પણ આ વખતે ચૂક કરશો તો અજિતસિંહ એલાન કરશે. અમે નીકળી પડીશું અને એક એક ઈંટ ઉખાડી ફેંકીશું.
ભાજપના કાર્યાલયની એક એક ઈટ ઉખાડી ફેંકવાની વાત સાથે લોકદળના નેતા જયંત ચૌધરીએ વધુમાં કહ્યું કે, આ લોકો તમને શરાબી, તમને મિલાવટ કહે છે, તો મેં પણ તેમના વિષે એક નામ વિચારીને રાખ્યું છે. હું અપશબ્દ તો નહીં કહું, પણ આ એક જૂતાવાળી પાર્ટી છે..