બનાસકાંઠા જિલ્લાના રાંટીલા ગામના ખેડૂતે પોતાનો એક વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ભારત માલા પ્રોજેક્ટના રોડ વચ્ચે ખેડૂતનો બોર અને તેનું મકાન આવતા ખેડૂત નારાજ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાનાં રાંટીલા ગામના ખેડૂતે વીડિયો બનાવી કર્યો વાયરલ
ભારત માલા પ્રોજેક્ટનાં રોડમાં ખેડૂતનો બોર અને મકાન આવતા નારાજ
ખેડૂતે સરકાર પાસે ન્યાયની માંગણી કરી
બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી ભારતમાલા પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું છે ત્યારથી ખેડૂતો તેનો વિરોધ શરૂ કરી દીધો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી પસાર થતા ભારત માલા પ્રોજેક્ટને લઈ અત્યાર સુધી અનેક કામોમાં ખેડૂતો દ્વારા ભારત માલા પ્રોજેક્ટનું જે સર્વે નું કામ ચાલી રહ્યું છે. તેને લઈને ખેડૂતોને નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ આ કામ બંધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના રાંટીલા ગામના ખેડૂત નગાભાઈ રબારીને પણ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પોતાના ખેતરમાં અધિકારીઓ દ્વારા ખૂંટ મારી દેતા નારાજગી જોવા મળી હતી.
ખેડૂતે સરકાર પાસે ન્યાયની માંગણી કરી
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જે રોડનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે ભારત માલા પ્રોજેક્ટના રોડ વચ્ચે ખેડૂતનો બોર અને મકાન આવે છે. પરંતુ અધિકારીઓ દ્વારા ખેડૂતના મકાન અને પાણીના બોરની બાજુમાં જ ભારતમાલા પ્રોજેક્ટના રોડના સર્વે માટે ખૂંટ મારતા ખેડૂત નારાજ થયો હતો અને આ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત તેના મકાન અને પાણીના બોરની બાજુમાંથી આ રોડ નીકળે તો ખેડૂતને અંદાજિત 50 લાખનું નુકસાન થવાની ભીતી જોવા મળી રહી છે. ત્યારે ખેડૂત નગાભાઈ રબારીએ આ મામલે સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે તો સરકાર સામે લડી લેવાની પણ ખેડૂતે ચીમકી ઉચ્ચારી છે આ સમગ્ર મામલે હાલ બનાસકાંઠાના રાંટીલા ગામના ખેડૂતે પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.